SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૮ ૨૯ ૧૮૧. ઉ આ રીતે કરતા કરતા સમય ન્યૂન બે આવલિકા કાલે સંજ્વલન માયાનો ઉપશમ થાય છે. ૧૭૯. સંજવલન માયાના બંધાદિ વિચ્છેદથી શું કાર્ય થાય? સંજ્વલન માયાનો બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદથી સંજ્વલન લોભની બીજી સ્થિતિમાં દલિક આકર્ષીને લોભ વેદક અધ્ધા ર/૩ ભાગ પ્રમાણ પ્રથમ સ્થિતિ પૂર્વોક્ત પ્રકારે કરે અને તેનું રૂંધન કરે અને વેદે છે. ૧૮૦. લાભદક અધ્ધા કોને કહેવાય? લોભના દલિકોને વેદવાના એટલે ભોગવવાના કાળને લોભવેદક અધ્ધા કહેવાય છે. બે તૃતીયાંશ સ્થિતિના કેટલા ભાગ થાય? કયા કયા? તેના બે ભાગ થાય છે આ પ્રમાણે. પ્રથમ સ્થિતિઘાત ૧/૩નું નામ અશ્વકરણ અધ્ધા કહેવાય, બીજા સ્થિતિઘાત ૧/૩નું નામ કિટ્ટી કરણ અધ્ધા કહેવાય છે. અશ્વકરણ અધ્ધાનું વર્ણન ૧૮૨. પ્રથમ ત્રણ ભાગમાં રહીને જીવો શું કાર્ય કરે ? ઉ અશ્વકરણ અધ્ધા નામે પ્રથમ ભાગે વર્તતા જીવ પૂર્વ પૂર્વ સ્પર્ધક થકી દલિકોને લઈને અપૂર્વ સ્પર્ધકો કરે છે. ૧૮૩. જીવ કર્મ પણે કયા સ્કંધોને ગ્રહણ કરે? ઉ અનંતાનંત પરમાણુઓથી બનેલા કાર્મણવર્ગણાના સ્કંધોને જીવ કર્મપણે ગ્રહણ કરે છે. ૧૮૪. વર્ગણા કોને કહેવાય? તે એક એક સ્કંધમાં જે સર્વથી જઘન્ય રસ કેવલીની બુધ્ધિથી છેદતા નથી તે સર્વજીવ થકી અનંતગુણ રસના અણુઓને તેવા જઘન્ય રસવાળા કેટલાક પરમાણુઓનો સમુદાય તેને વર્ગણા કહેવાય છે. ૧૮૫. બીજી વર્ગણા કોને કહેવાય? જઘન્ય રસવાળા પરમાણુઓનાં સમુદાય કરતાં એક રસાણ અધિક પરમાણુઓનો જે સમુદાય તે બીજી વર્ગણા કહેવાય. ઉ
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy