SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ કેમકે, ઉપાધિ કે ધર્મ બધી જ વ્યક્તિઓમાં વ્યાપેલો હોય છે તેથી એક જ શબ્દ, એ ઉપાધિથી યુક્ત બધી જ વ્યક્તિઓનો બોધ કરાવી શકે છે. સંકેત વ્યક્તિમાં નથી ઉપરોક્ત સૂત્ર(૨.૧૦)માં કાવ્યપ્રકાશકાર મમ્મટે, એ સંકેતિત અર્થ જાત્યાદિ (જાતિ વગેરે) એટલે કે જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્ય કે સંજ્ઞા એમ ચાર પ્રકારનો છે એવો વૈયાકરણોનો મત રજૂ કર્યો છે. આથી જ વૈયાકરણો અને તેમને અનુસરતા આલંકારિકો જાત્યાદિવાદી કહેવાય છે. અને પછી, “અથવા સંકેતિત અર્થ કેવળ જાતિ જ હોય છે” એવો મીમાંસકોનો મત દર્શાવ્યો છે. આ કારણથી જ મીમાંસકો જાતિવાદી (કેવળ જાતિમાં જ સંકેત છે એ માનનારા) કહેવાય છે. ' - સંકેત વિશેના મુખ્ય ચાર મતોમાંથી મમ્મટે આ સૂત્રમાં વૈયાકરણોનો જાત્યાદિવાદ તથા મીમાંસકોને જાતિરેવવાદ એમ બે મહત્ત્વના મતો કે વાદોનો નિર્દેશ કર્યો છે. આ બે મતો સંકેતના ક્ષેત્ર કે વ્યાપ અંગે જુદા પડે છે. પણ સંકેત વ્યક્તિમાં નથી પણ ઉપાધિમાં કે ધર્મમાં છે એમ માનવામાં વૈયાકરણો તથા મીમાંસકો સંમત છે. આને ખુલાસો એ છે કે જો સંકેતને વ્યક્તિમાં રહેલો માનીએ તો ત્રણ પ્રકારની મુશ્કેલીઓ કે તદોષો ઉત્પન્ન થાય છે : (૧) આનન્યદોષ (૨) વ્યભિચારદોષ અને (૩) વિષય-વિભાગની અપ્રાપ્તિનો દોષ અથવા અર્થભેદના અભાવનો દોષ. જો “ગાય” એ શબ્દ અમુક એક ગાય(વ્યક્તિ)ને માટે જ સંકેત ધરાવતો હોય તો એ ગાય શબ્દથી બધી ગાયો જે અનંત છે તેમનો નિર્દેશ થઈ શકશે નહીં. આથી આનન્યદોષ ઉત્પન્ન થશે કેમકે એક જ ગાયમાં રહેલો સંકેત બધી (અનંત) ગાયોને આવરી લઈ શકે નહીં. વળી, અમુક એક ગાય(વ્યક્તિ)માં રહેલો સંકેત એ ગાય સિવાયની બીજી કેટલીક ગાયોનો નિર્દેશ કરે તો નિયમભંગ થાય. આ નિયમભંગ એ જ વ્યભિચારદોષ કહેવાય છે. વૈયાકરણો તેમજ મીમાંસકો સંકેત ઉપાધિમાં રહેલો છે એ વિશે સંમત છે. પણ વૈયાકરણોના મતે ઉપાધિ ચતુર્વિધ છે, ચાર પ્રકારની છે. એટલે કે ઉપાધિ જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્યમાં રહેલી છે. આ કારણથી જ વૈયાકરણો જાત્યાદિવાદી કહેવાય છે.જ્યારે મીમાંસકો જાતિવાદી કહેવાય છે કેમકે એમના મતે ઉપાધિ ૧૩૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy