SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાપૂજન દશ સત્યાનુ સ્વરૂપ : જનપદ્મ સત્ય :- પાણીને કાઈ દેશમાં પય કહે છે, કોઈ દેશમાં પીરચ કહે છે, કોઈ દેશમાં ઉક કહે છે અને કોઇ દેશમાં જળ કહે છે, વગેરે જનપદ—સત્ય છે, સમ્મત સત્ય :- કુમુદ, કુવલયાદિ પુષ્પા પણ પ`કથી ઉત્પન્ન થાય છે, છતાં પ’કજ શબ્દ અરવિંદ કુસુમને જ જણાવે છે, તે સમ્મત સત્ય સ્થાપના સત્ય :- પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવેલ મૂર્તિ, આઈલ પેઇન્ટ ફોટા, ૧-૨-૩-૪ આદિ આંકડાની સ્થાપના, ચલણી સીક્કા ઉપર સરકારની છાપ આદિ સ્થાપના સત્ય છે. નામ સત્ય – કુળની વૃદ્ધિ ન કરતા હોય તેા પણ ‘કળવું ન’ વગેરે નામ તે નામ સત્ય, : રૂપ સત્ય :- વ્રતના ગુણ ન કરતા હોય અને કેવળ લિગ માત્રથી વ્રતી કહેવાય. તે રૂપસત્ય. પ્રતીત્ય સત્ય :- અનામિકા આંગળી, કનિષ્ઠાના સંબંધથી દીઘ કહેવાય અને મધ્યમાના સંબંધથી હૂસ્ત્ર કહેવાય, તે પ્રતીત્ય સત્ય. વ્યવહાર સત્ય :- પર્યંત ઉપર તૃણાદિ મળવા છતાં પર્યંત ખળે છે.' એમ કહેવું. પાણી ઝમે, તા પણ કહેવુ` કે- ઘડો ઝમે છે ! આ સવ વ્યવહાર સત્ય છે. ભાવ સત્ય :- બગલા ઉજળા છે અને ભમરા કાળા છે, એમ કહેવાય છે. પરંતુ બગલા અને ભમરામાં પાંચે વર્ષ છે, છતા તે તે વર્ણ વિપુલ પ્રમાણમાં હોવાથી અગલા ઉજળા અને ભમરા કાળા કહેવાય છે, તે ભાવ સત્ય છે. ચાગ સત્ય :- દડના ચેાગે દડી, છત્રના ચાગે છત્રી વગેરે થન તે ચૈાગ સત્ય. ઉપમા સત્ય :- સમુદ્ર સરખુ` તળાવ વગેરે કથન તે ઉપમા સત્ય છે. (૨) સ્થાપના નિક્ષેપ જો વસ્તુનુ નામ માત્ર સાંભળવાથી વસ્તુના મેધ અને ભક્તિ થવા સભવ છે, તેા પછી વસ્તુની આકૃતિ કે જેમાં નામ ઉપરાંત આકાર છે, તેનાથી અધિક મેધ અને ભક્તિ થાય તે સ્વાભાવિક છે. નામ નિક્ષેપ જેમ શાસ્ત્ર સિદ્ધ છે, તેમ સ્થાપના નિક્ષેપ પણ અનેક શાસ્ત્રોથી સિદ્ધ છે.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy