SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા પૂજન એમાં જુદી-જુદી અસર નિપજાવવાની શક્તિ પ્રગટપણે રહેલી છે, . એમ સ્પષ્ટ થાય છે. (૧) નામ નિક્ષેપ કઈ પણ વસ્તુના સંકેત કરેલા નામના ઉચ્ચારણથી તે વસ્તુને બોધ કરાવવો તે પ્રથમ નામ નિક્ષેપાને વિષય છે. શ્રી ઋષભદેવસ્વામી આદિ વીસ તીર્થકરોનાં નામ, તેઓનાં માતા પિતાઓએ જન્મ વખતે પાડેલાં હોય છે, તેમાં કારણ તેમના ગુણે નથી, કિન્તુ માત્ર ઓળખવાનો સંકેત છે. નામ પાડવામાં જે ગુણ એ જ કારણ હોય, તે બધા તીર્થંકરે સમાન ગુણવાના હોવાથી બધાનું એક જ નામ પડવું જોઈતું હતું. સમાન ગુણવાળાનાં અનેક નામો તે જ પડી શકે, કે જે નામ પાડતી વખતે ગુણની અપેક્ષા ઉપરાંત આકાર વગેરેની ભિન્નતા ઉપર પણ લક્ષ્ય આપવામાં આવે ! ચોવીસે તીર્થકર દેના ગુણ સમાન હોવા છતાં, પ્રત્યેકના આકાર, પ્રત્યેકની પૂર્વાપર અવસ્થા વગેરે ભિન્ન ભિન્ન હતાં. તે જ રીતે એક જ નામની અનેક વસ્તુઓ જ્યાં હોય છે, ત્યાં પણ તે નામ વડે જે કોઈ અમુક વસ્તુને બોધ થાય છે, તેનું કારણું પણ તે વસ્તુમાં રહેલા ગુણ, આકાર વગેરેની ભિન્નતા છે. જેમકે “હરિ એ બે અક્ષરનું નામ છે.. પણ તેનાથી અનેક વસ્તુને સંકેત થાય છે. “હરિ એ શબ્દ કહેતાં કૃષ્ણ, સૂર્ય, વાનર, સિંહ અને અધ. વગેરે અનેક વસ્તુઓને બેધ થવે શક્ય હોવા છતાં, તેમ નહિ થતાં માત્ર કૃષ્ણને જ બંધ થાય છે. તેનું કારણ તે શબ્દ (હરિ) બેલનારને અભિપ્રાયુ “કૃષ્ણને કહેવાનું છે, તે છે. એ જ રીતે સૂર્યને મતલબથી બહાર શબ્દ બેલતાં માત્ર સૂર્યનું જ્ઞાન થાય છે, પણ કૃષ્ણાદિ બીજી વસ્તુઓનું જ્ઞાન થતું નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે-અનેક સંકેતવાળું એક નામ જુદા-જુદા સંકેતને બધ કરાવવાની જે શક્તિ ધરાવે છે, તેનું કારણ એકલે. નામ નિફ્લેમે-નથી, પણ તે નામની સાથે બીજા બધા નિક્ષેપાને. થતબધ છે. - બીજા એક દષ્ટાન્ત રૂપે કેટ' શબ્દ લઈએઃ “કેટ’ શબ્દથી પહેરવાને ડગલે, શહેરને ફરતે ગઢ, શરીરની ગરદન વગેરે અનેક અને બેધ
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy