SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ખંડનના ખેદકામ ઉપર જ! આ એમને મુદ્રાલેખ હતે. એથી જ એમનું ખંડન પણ મંડનથીય વધુ મીઠું લાગતું, એ તે અનુભવીઓને અનુભવ છે. અને આ પુસ્તક તથા એમની કેટલીય કૃતિઓ આ વાતની સાખ પૂરે છે. એમના પરિચયમાં જ પ્રશાંતિની એક એવી પરિમલ ઘૂંટાતી હતી કેબન્યો-ઝભ્ય કેઈ પણ માણસ એમના સાનિધ્ય માત્રથી કે એમની મૌન મુખ મુદ્રાના દર્શન માત્રથી હિમગિરિ જેવી ઠંડક માણ્યાની મસ્તી અનુભવી શકતો. આ જ એમની અજોડતા ન હતી, આટલી જ એમની વિશેષતા ન હતી. પણ એમની ખરી અજોડતા ને પૂરી વિશેષતા તો બોલચાલની એમની હિત–મિત અને પથ્થભરી તાસીર જ હતી ! એગ્ય વાતચીત કરવા દ્વારા, સામી વ્યક્તિની અધૂરાશને દૂર કરવામાં એમને મળતી સફળતાને પાય, આવી આ તાસીર હતી. કલાહલની કથાથી દૂર રહીને, આડબંરની અંજીવણને અળગી રાખીને, આજના બજાર પ્રચારના પ્લેટફોર્મના પડછાયાથી પ્રેમ કર્યા વિના અને ઘઘાટના ઘંટનાદ કર્યા વગર એઓશ્રીએ સંઘમાં એક પ્રબુદ્ધ-વર્ગનો પાયો મજબૂત બનાવવાનું જે કાર્ય કર્યું-એ પૂજ્યશ્રીને જીવનમાં સધાયેલા સરસ્વતી અને સંયમના સંગમનો પ્રભાવ હતે. જસ્સ મણે નવકારે, સંસાર તસ્સ કિં કુણઈ જેના મનમાં છે નવકાર, તેને શું કરશે સંસાર ? ન ધર્મનાદ એઓથી લગભગ હરહમેશ જગવતા. આ “ખમું છું, અને નમું છું” આ બે મુખ્ય વિષે એમને ખૂબ જ પ્રિય હતા. “ખમવું એ નમ્રતાનું પ્રતીક છે અને “નમવું' એ ભગવાન તરકુના ભક્તિભાવનું પ્રતીક છે. આ બે પ્રતીકને એઓએ જીવનમાં છવો જાણ્યા હતા એની સાખ તે એઓશ્રીને વરેલું સમાધિ મૃત્યુ જ છે! જીવન-ભરની સાધનાનું સરવૈયું એઓશ્રી સમાધિ મૃત્યુ દ્વારા સહુને સમજાવતા ગયા. કેવો જોગાનુજોગ ! પાટણનો જે ધરતી પર એના જન્મની જાજમ બિછાઈ, એ જ ધરતી પર આ જાજમ સંકેલીને એઓએ પરલેક-પ્રયાણ આદધુ. છેલ્લાં ઘણા વર્ષોથી પિતાની સાધનાને વિકસાવવાના ધ્યેયથી એઓ મારવાડ ગોલવાડના પ્રદેશમાં વિચરતા હતા. આ ધરતીની મહેંકમાંથીય એમનો સંયમ– સુવાસ ફેલાવા જાણી માણી શકાય એવો છે. લગભગ દોઢ દાયકાના મારવાડના વિહાર દરમિયાન એઓશ્રીની પુણ્યનિશ્રામાં સાધનાને એક મહાભારત યજ્ઞ મંડાયો. એ પુણ્ય નિશ્રામાં ઉપધાન–તપ આદિ આરાધના કરવા તપસ્વીઓ તલપાપડ રહેતા. છેલ્લા વર્ષમાં એઓશ્રીના સંયમ–દેહને ઘેરી વળેલી અસ્વસ્થતાનું પ્રમાણ જઈને ડોક્ટર પણ છકક થઈ જઈને કહેતા કે–આ વિભૂતિ તે અમારી થીયરી
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy