SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અને એવા ' પ્રકરણ-૧૦ મું પા નિફો તથા ચેત્ય સ્તવથી સ્થાપના નિક્ષેપે શ્રી જિનની આરાધના દર્શાવી છે. શ્રી ભગવતી સૂત્રની શરૂઆતમાં જ્ઞાનની સ્થાપના તરીકે શ્રી ગંભી લિપિને શ્રી ગણધર ભગવંતે એ નમસ્કાર કર્યો છે. શ્રી દશ બેકલિક સૂત્રમાં સ્ત્રીનું ચિત્રામણ જેવાની સાધુને મનાઈ કરીને સ્થાપનાની શુભાશુભ અસરનું સ્પષ્ટપણે પ્રતિપાદન કરેલ છે. - શ્રી ભગવતી સૂત્રના વીસમા શતકના નવમા ઉદેશામાં લબ્ધિધર ચારણ મુનિઓએ શાશ્વત અને અશાવત એવી શ્રી જિનપ્રતિમાઓની કરેલી વંદનાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. " શ્રી સમવાયા સૂત્રમાં ચારણ મુનિ શ્રીનંદીશ્વર દ્વીપે રમૈત્યવંદના માટે જાય છે, ત્યારે સત્તર હજાર જન ઉદ્ઘપણે ગતિ કરે છે, તેવું સ્પષ્ટ વર્ણન છે. શ્રી જિન પ્રતિમા જેમ વંદનીય છે, તેમ પૂજનીય પણ છે; માટે એ જ બત્રીસ સૂત્રોમાં નીચે પ્રમાણે પ્રમાણે મેજુદ છે. --- શ્રી રાચપસેણીય સૂત્રમાં શ્રી સૂર્યાભદેવે કરેલી પૂજાનું વિસ્તૃત વર્ણન છે. શ્રી સૂર્યાભદેવ પરમ સમ્યગૃષ્ટિ, પરિત્તસંસારી, સુલભ બધિ અને પરમ આરાધક છે. ઈત્યાદી વર્ણને ભગવાને સ્વમુખે કહેલું છે. શ્રી જ્ઞાતા સૂરમાં ભવનપતિ નિકાયની દેવીઓની જિનભક્તિનાં વખાણ કરેલાં છે. શ્રી ભગવતી સૂત્રમાં ઈન્દ્રાદિકે પ્રભુ સન્મુખ કરેલાં નાટકોને પ્રશંસેલાં છે શ્રી જીવાભિગમ સૂત્રમાં શ્રી વિજયદેવે કરેલાં નાટકની પ્રશંસા કરેલી છે. શ્રી ઠાણંગ સૂત્રના ચોથા ઠાણામાં શ્રી નંદીશ્વર દ્વીપ પર ઘણાં દેવ દેવીઓએ પૂજા ભક્તિ કર્યાનાં વર્ણન છે. શ્રી જબૂદ્વીપ પ્રાપ્તિમાં શ્રી જિનેશ્વરદેવની દાઢાઓ અને અસ્થિ, દાંત પ્રમુખ અવયવ દેવતાઓ ભકિતપૂર્વક પિતાના સ્થાને લઈ જઈને પુજે છે તથા અગ્નિદાહના સ્થાને તૃપ પ્રમુખની રચના કરે છે, તેનું પ્રગટ વર્ણન છે. કયા કામ 4 - -- ' ',' એ
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy