SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાપૂજન જેમ એક ગામનાં આવેલે એક બગીચા, અનાયાસે ગામના વાતાવરણને અમુક હદ સુધી સુવાસિત કરે છે, તેમ જે ગામ-નગરમાં શ્રીજિનરૌત્ય આવેલુ હાય છે, તે ગામ નગરમાં રહેનારા સર્વ ને આછા-વધતા અને આત્મિક ફાયદો થાય જ છે. સારાની સારી અસરનેા અસિદ્ધાન્ત આર્કટય અને અતક છે. શ્રી જૈનશાસ્ત્રોના કથન મુજબ શ્રી તીર્થંકરદેવાના વિદ્યમાન કાળમાં અથવા ચોથા આરામાં પણ ધર્માત્માનાં નિવાસવાળાં દરેક ગામામાં વિપુલ જિન ચૈત્યા હતાં અને તેવાં તારક ચૈત્યાના આલંબનથી જ તે વખતના મનુષ્યાને પણ અનેક પ્રકારના ધાર્મિક ફાયદાઓ થયા હતા. તો આ પાંચમા આરામાં કે જ્યારે શ્રીતી કરદેવા આપણા આ ક્ષેત્રમાં વિદ્યમાન નથી, ત્યારે શ્રીજિનચૈત્યેા કેટલાં બધાં જરૂરી, અલ્કે અનેિવાય છે. તે સમજી શકાય તેવી વાત છે. ધનવ્યય માટે જિનચૈત્ય આદિ ઉત્તમ સ્થાન ૨૬ ધર્મ ભાવનાને ટકાવી રાખવા માટે જેમ ચૈત્યાની અત્યંત જરૂર છે, તેમ લાભ અને પરિગ્રહ સ’જ્ઞાના પાપે ઉપાર્જન થયેલ દ્રવ્યને સય કરવા માટે પ પણ શ્રી જિનચૈત્યાની ખાસ જરૂર છે. ધર્મ માટે ધનનું ઉપાર્જન કરવાનું શ્રી જૈનશાસન વિધાન કરતું નથી, પરંતુ પાપ સંજ્ઞાઓના કારણે ઉપાર્જન થયેલ દ્રવ્યના સદુ૫ચાગ કરવાનુ તથા ઉત્તમ ધમ ક્ષેત્રોમાં વાવી તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવાનુ તા શ્રી જનશાસન અવશ્ય વિધાન કરે છે. પરમાત્માના ઉપદેશ કે શાસનથી ધર્મ પામેલા આત્મા, પેાતાને પ્રાપ્ત થયેલા અસ્થિર અને વિનાશી દ્રવ્યના ઉપયાગ પરમાત્માના ચૈત્યાદિ માટે ન કરે, તે તે રંક આત્મા સર્વ-સમર્પણ બુદ્ધિથી પરમાત્માનું આરાધન કરવા માટે કદી પણ તત્પર બની શકશે? પેાતાના અંગભૂત નહિ, એવું ધન પણ પરમાત્માની સેવામાં નહિ સમપી શકનાર પેાતાના અગભૂત ઇન્દ્રિયા મન વગેરેને કઇ રીતે સમર્પિત કરી શકશે ! પરમાત્માનું આરાધન કરવા માટે, દિલમાં વસેલા દેવાધિદેવની ભક્તિને સાકાર કરવા માટે, પરિગ્રહની મમતા એછી કરવા માટે, ગૃહસ્થપણમાં ઔદાર્યાદિ સદા સર્વોત્કૃષ્ટ ફળ મેળવવા માટે
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy