SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પ્રતિમાપૂજન આ પ્રશ્ન ૭૬– “ચૈત્ય” શબ્દને અર્થ, કેટલાક સાધુ” કે “જ્ઞાન કરે છે, તે શું ઉચિત છે? ઉત્તર- ચૈત્યને અર્થ ‘સાધુ” કે “જ્ઞાન” કઈ રીતે થઈ શકે નહિ. તેમ શાસ્ત્રના સંબંધમાં તે અર્થ બંધબેસતું પણ નથી. સાધુને ઠેકાણે તમામ સૂત્રોમાં “વા સાદુ વા” મવરવુ વા મિજવુળી Sા Iએમ કહેલ છે પણ “મૈત્રે ઘા ત્યાનિ જા !” એવું તે કયાંય કહેલ નથી. વળી ભગવાન શ્રી મહાવીરસ્વામીજીના ચૌદ હજાર સાધુ હતા, એમ કહ્યું છે, પણ “ચૌદ હજાર ચિત્ય હતા,” એમ કહ્યું નથી. એ જ રીતે બીજા સર્વ તીર્થકરે, ગણધરે, આચાર્યો વગેરેના આટલા હજાર સાધુ હતા. એમ કહ્યું છે, પણ ચૈત્યે હતાં,” એવા શબ્દ કોઈ સ્થળે નથી. તથા “ચત્ય” શબ્દને અર્થ “સાધુ” કરે, તે પછી સાધ્વીને માટે નારી જાતિમાં યે શબ્દ તેમાંથી નીકળી શકશે? કારણ કે શબ્દ સ્ત્રીલિંગમાં બોલાતું નથી. શ્રી ભગવતી સૂત્રમાં (૧) અરિહંત (૨) સાધુ અને (૩) ચૈત્ય એમ ત્રણ શરણ કહ્યાં છે. ત્યાં જે “રત્યશબ્દનો અર્થ “સાધુ” કરે, તે તેમાં “સાધુ શબ્દ જુદો કેમ કહ્યો? તથા જ્ઞાન કહે, તો અરિહંત શબ્દથી જ્ઞાનને સંગ્રહ થઈ ગયે. કેમકે જ્ઞાન અરૂપી છે, તે જ્ઞાની સિવાય હાય નહિ. માટે ચૈત્યથી જિનપ્રતિમા જ અર્થ થવાને. “અરિ હંત એ અર્થ પણ સંભવે નહિ. કારણ કે “અરિહંત' પણ પ્રથમ સાક્ષાત્ શબ્દમાં કહેલ જ છે. “ચત્ય” શબ્દને “જ્ઞાન” એ અર્થ કરવો, એ પણ તદ્દન અસ. ત્ય છે; કારણ કે શ્રી નદીસૂત્રાદિમાં જ્યાં-જ્યાં પાંચ જ્ઞાનના અધિકાર આવે છે, ત્યાં ત્યાં– ના પંજલિ gઇત્તિ” એમ કહ્યું છે. પણ “ વિદ્ gઇનિં.” એમ તે ક્યાંય લખ્યું નથી. તથા તેનાં નામ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન કહ્યાં છે, પણ મતિચિત્ય, કૃત્ય. અવધિદૈત્ય, મન:પર્યવચૈત્ય કે કેવળચૈત્ય ઈત્યાદિ કઈ સ્થળે નથી કહ્યાં. તથા તે જ્ઞાનના સ્વામીને મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની ઈત્યાદિ શબ્દથી ઓળખાવ્યા છે, પણ મતિચૈત્યી, શ્રુતચૈત્યી વગેરે નથી જ કહ્યા.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy