SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૦ મું જ . - Rs - અમદાન - * * પ મને " *, *, * * * * * (૨) ભરત ચક્રવત એ શ્રી અષ્ટાપદ પર્વત ઉપર ચોવીશ તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ તેમની વણી લે છે તથા શરીરના કદ પ્રમાણે સ્થાપના કર્યોનું શ્રી આવશ્યક મૂળ પાઠમાં કહ્યું છે. (૩) દક્ષિણમાં આવેલા હૈદ્રાબાદ શહેર પાસેના કુલપાક ગામમાં ભરત ચક્રવર્તીના સમયમાં ભરાવેલી શ્રી ઋષભનાથ સ્વામીની મૂર્તિ છે. જે કાળ - વિશે કરી દહેરાસર સહિત જમીનમાં દટાઈ ગયેલ. તે હાલ થોડા વખત પહેલાં પ્રગટ થયેલ છે. જોકે આ પ્રતિમાજીને માણિજ્ય સ્વામીની પ્રતિમા પણ કહે છે અને તે દેવાધિષિત છે. (૪) શ્રી શંખેશ્વર ગામમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ ગઈ. ચોવીસીમાં થઈ ગયેલા શ્રી દામોદર નામના શ્રી તીર્થંકર પરમાત્માની વખેનમાં બનેલી દેવરક્ષિત વિદ્યમાન છે. આ પ્રતિમા -- અનેક અબજ વર્ષોથી અધિક પ્રાચીન છે અને દેવલોક તથા પાતાળ લોકમાં પૂજા પછી બોવીસમા તીર્થ કરદેવ શ્રી નેમિનાથ સ્વામીને સમયથી માનવલોકમાં પૂજાય છે. (૫) મુંબઈ પાસે અગાસી ગામમાં આવેલા શ્રી જિનમંદિરમાં બિરાજમાન શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા તેમના વખતની બનેલી કહેવાય છે. (૬) શ્રીપાળ રાજા તથા સાત કોઢીઆનો કેઢ જે શ્રી ઋષભનાથ સ્વામીની મૂર્તિના પ્રક્ષાળ-જળથી દૂર થયે હતું, તે મૂર્તિ આજે પણ શ્રી ઇલેવા ગામમાં શ્રી કેસરીઆનાથજીને નામે ઓળખાય છે, તેમજ પૂજાય છે. જેને લાખ વર્ષ થઈ ગયાં. (૭) રાવણ રાજાના વખતમાં બનેલ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજીની મૂર્તિ, મહારાષ્ટ્રમાં આવેલા આકોલા પાસે શિરપુર ગામમાં છે. (૮) આ વીસીના શ્રી નેમિનાથ ભગવાનના શાસન પછી ૨૨૨૨ વર્ષે આષાઢ નામના શ્રાવકે ત્રણ પ્રતિમાઓ ભરાવી હતી. તેમાંની એક ખંભાતમાં શ્રી સ્તંભને પાર્શ્વનાથ પ્રભુજીની છે. બીજી પાટણ શહેરમાં છે તથા ત્રીજી પાટણ પાસે ચારૂપ ગામમાં હાલ વિદ્યમાન છે. તેના પર નીચે મુજબ લેખે છે કર કાય . _*' ક તે સ , અ મ જ ને ...
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy