SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પ્રતિમા પૂજન * રન કI ના -- અને કામ કરી '' દાફા art નાનકny +1 - મા : - - રાગ પેદા થવાનું કારણ જે મેહ-મમતા છે, તે તે સર્વથા નાશ પામી ગયેલ છે. તો પછી તેઓ કેવી રીતે લેપાય ? " શાસ્ત્રો ફરમાવે છે કે સમગ્ર વિશ્વ જેઓશ્રીના સ્વભાવથી. પ્રભાવિત છે, તે શ્રી અરિહંત પરમાત્માને વિશ્વને કઈ પદાર્થ પ્રભાવિત. કરી શકતો જ નથી. જેઓ સર્વ ગુણે કરીને સર્વોત્તમ છે તેમની ભક્તિમાં ઉત્તમ પદાર્થો વાપરવાથી ઉત્તમ ગુણનું ઉત્તમ પ્રકારે પૂજનબહુમાન આદિ થાય છે. તેમજ આ વિશ્વના ગમે તેવા ઉત્તમ પદાર્થો તરફની મૂરછ ક્ષીણ થાય છે એટલે પોતાની પરાકાષ્ઠાએ પહોંચેલા શ્રી અરિહંત પરમાત્માની મૂર્તિની પૂજા – સેવા – ભક્તિમાં સર્વોત્તમ શ્રેણ, નિર્દોષ પદાર્થો વાપરવાની ભાવના થવા, એ સાચી ભક્તિ જાગ્યાની નિશાની છે." જે ઉત્તમ દ્રવ્ય વગેરે વડે પૂજવાથી પ્રભુ ભેગી બની જશે, તે. શું નિદાથી ખરેખર નિદનીય બની જશે? નહિ જ. પૂજા કે નિંદાથી તેમને મહિમા વધતે કે ઘટતું નથી પૂજા કે નિદાની સાથે તેમને કાંઈ સંબંધ નથી, એ બેથી તેઓ સર્વથા પર છે, પણ પૂજક અગર, નિંદક વ્યક્તિને જ તે – તે ક્રિયા શુભાશુભ ફળ આવે છે. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી નીચેના આઠ પ્રાતિહાર્ય થવાનું વર્ણન શ્રી સમવાયાંગ સૂત્રમાં છે. (૧) અશોક વૃક્ષ ભગવાનને છાયા કરે છે. (૨) દેવતાઓ જળ-સ્થળમાં પેદા થયેલ પંચરંગી પુષ્પને જાનુ પ્રમાણ વરસાવે છે. (૩) આકાશમાં દેવ દુંદુભિ વાગે છે. (૪) ભગવાનની બંને બાજુ ચામર ઢળાય છે. (૫) દેવાધિદેવને બિરાજવા માટે રત્ન જડિત સુવર્ણસિંહાસન કાયમ સાથે રહે છે. (૬) રેન્દમય તેજના અંબારરૂપ ભામંડલ દેવાધિદેવની પાછળ રહે છે, - (૭) દિવ્ય દવનિરૂપ પ્રાતિહાર્ય વડે મનહર વીણાના સ્વરે થાય છે. (૮) એક પર બીજું, એમ ત્રણ – ત્રણ છ દેવાધિદેવના શિર પર રહે છે. લાખો-કરડે દેવે “જય જય’ શબ્દથી સ્તુતિ કરતા – કરતા સાથે રહે છે. દેવે સમવસરણ બનાવે છે. જેને ત્રણ ગઢ હોય છે. ચાંદીના
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy