SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ મું ૧૨૩ જ માની ગણાય. મક્કા-મદીના હજ કરવા જાય છે અને ત્યાં રહેલાં કાળા પત્થરને લળી લળીને નમસ્કાર કરે છે, પ્રદક્ષિણ આપે છે અને તે તરફ દષ્ટ સ્થિર રાખી નમાજ પઢે છે, તેની યાત્રા માટે હજારો રૂપિયા ખચે છે, તે પત્થરને પાપનો નાશ કરનાર માની, તેનું ખૂબ સન્માન કરે છે જે વગર ઘડેલો તે પત્થર પણ તેમના માટે ઈશ્વર તુલ્ય સન્માન કરવા યોગ્ય છે, અને તેનું સન્માન પાપ નાશક છે, તે પરમાત્માના સાક્ષાત્ સ્વરૂપની બોધક પ્રતિમા પરમાત્મા તુલ્ય કેમ નહિ ? અને તેથી તેનું સન્માન, તેને આદર અને તેની ભક્તિ કરનારનાં પાપ કેમ નાશ ન પામે ? શું પરમાત્મા દરેક સ્થાને નથી, કે જેથી, મક્કા – મદીના જવું પડે છે? માટે કહે કે – મનને સ્થિર કરવા માટે મૂર્તિ સ્વરૂપે કે અન્ય સ્વરૂપે સ્થાપનાને માનવાની આવશ્યકતા રહે જ છે. વળી મુસ્લિમો તાબૂત બનાવે છે, તે પણ ભૂતની સ્થાપના જ છે. આ બૂત પરસ્તીની નિશાની જ છે. તાબૂતને લબાનને ધૂપ તથા પુષ્પના હાર વગેરે ચઢાવી, સારી રીતે આદર આપે છે. શુક્રવારને શુભ દિવસ ગણ મજિદમાં તથા ઈદના દિવસે મોટી મસ્જિદમાં જઈને નમાજ પઢે છે. તે મસ્જિદે પણ સ્થાપના જ છે. કુરાને શરીફને ખુદાનાં વચનો સમજી માથે ચઢાવે છે, તે પણ સ્થાપના જ છે. ઓલિયા, ફકીર, મીરાં સાહેબ, ખ્વાજા સાહેબ વગેરેની દરગાહોની યાત્રાઓ કરે છે અને ત્યાં રહેલી કબર પર ફૂલહાર વગેરે ચઢાવી વંદન પૂજન આદિ કરે છે, તે તે પણ સ્થાપના-સન્માન નથી તે બીજું શું છે ? મસિજદે તથા મક્કા - મદીનાની છબીઓ પડાવીને પિતાની પાસે રાખે છે, તે પણ સ્થાપના જ છે. આ રીતે ઘણા પ્રકારે મુસ્લિમે પણ પિતે માનેલ પૂજ્ય વસ્તુઓની મૂર્તિ (આકાર) ને એકસરખું માન આપે છે. પારસી ભાઈઓ અગ્નિને માને છે અને એ પણ એક પ્રકારની વ-ઈષ્ટ દેવની સ્થાપના જ છે. - 3 - મનુની
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy