SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા-પૂજન જગતના જીવા અનેક ચિંતાઓથી અને ઉપાધિઓથી વીટળાએલા હાય છે તેઓને કેાઈ ખાસ આલેખન વિના શુભ ધ્યાનની પ્રાપ્તિ થવી એ સરળ અને સહજ નથી. અસ્થિર મન અને ચંચળ ઇન્દ્રિઓને કાબુમાં રાખવી, એ બચ્ચાંઓના ખેલ નથી. કાઈ વાજા, સિતાર કે તખુરાના સૂરવાળું ગીત કાને પડયુ` કે તરત જ ચંચળ મન તે તરફ લપસી જાય છે. તે સમયે ધ્યાનની વાતા કયાંય ઉડી જાય છે. એવી ચંચળ મનેાવૃત્તિવાળા મનુષ્યોને શ્રી જિનરાજની પૂજામાં લીન થવુ, એ જ એક પરમ ધ્યાન છે. ૯૦ થાકેલા પ્રવાસી વૃક્ષદ્વેષી હોય એટલે રસ્તામાં આવતા વડલાની છાયામાં ન બેસે તેથી વડલાને કાંઈ ગેરલાભ ન થાય, પણ તે પ્રવાસીને તા પ્રગટ ગેરલાભ થાય જ. તેને થાક વધી જાય અને બાકીને પ્રવાસ અતિ ખાજારૂપ બની જાય. તે જ રીતે આધિ, વ્યાધિ અને ઉપાધિગ્રસ્ત ગૃહસ્થા પૈકી કાઈક પણ મૂર્તિ પૂજા વિધી માનસ ધરાવતા હોય તેથી મૂર્તિ પૂજા કરવા ન જાય, તે તેની તે આપત્તિએ અનેકગુણી વધી જાય તેમાં કોઈ શક નથી. કારણ કે સ ંતપ્ત પ્રવાસીને જે શિતળતા વડલાની છાયા આપે છે તેના કરતાં અનેકગુણી શાતા શ્રી જિનપ્રતિમા આપે છે. * ચંદન, ચંદ્ર અને સાધુ સગતિથી મળતી શીતળતા પણ શ્રી જિનરાજની શાન્તાકાર પ્રતિમાની ભક્તિ આગળ ઝાંખી પડી જાય છે. કાંટાળા જંગલમાંથી પસાર થતા મુસાફરના વસ્ત્રને જે રીતે બધે જ કાંટા ભેાંકાઇ જાય છે, તેવી જ હાલત સ`સારી જીવની છે. અનેક વિટંબણાઆથી તે ઘેરાએલા જ હોય છે. માટે તેને સ્મૃતિના આલેખનની અત્યંત જરૂર છે. તેના સહારે તે પોતાના મનને શુભ ધ્યાનમાં જોડી શકે છે. વળી શ્રી જિનપૂજાના આદરથી તથા મૂતિ દ્વારા શ્રી જિનેશ્વરદેવના ગુણગાન કરવાથી ચ'ચળ મન સ્થિર થાય છે અને સ્થિર થયેલા મનમાં સંસારની અસરતા વગેરેનું ભાન સહેલાઇથી કરાવી શકાય છે. સુખ-દુ:ખ પ્રત્યે જ્યાં સુધી સમાન ભાવ નથી આવ્યા, ત્યાં સુધી મોટા ચેોગીરાજની જેમ નિરાલ બન જે વખતે તે સમભાવવાળી સ્થિતિ મેળે છૂટી જશે. ધ્યાનની વાતા કરવી નિરર્થક છે. આવશે, તે વખતે આલ ખન પેાતાની લો હોય છે
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy