SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સુધાબિંદુ છે તેના પ્રત્યે નફરત જાગે છે. એ નફરત એટી ખરાબ છે કે દેવાળી વ્યક્તિમાં રહેલ સારા મહાન ગુણેનું ભાન કરવા દેતી નથી, એથી એ વ્યક્તિને આપણે ખૂબ અન્યાય કરીએ છીએ. ખરે સમયે આપણને એ ગુણની આવશ્યકતા હોય, ત્યારે એ નફરત આડી આવે છે અને આપણે રઝળી જઈએ છીએ. એટલે પરદેષદર્શન કરવામાં વિવેકની ખાસ જરૂર છે. ૬૫. માણસને કેળવવામાં આવે તે તેની કિંમત ઘણું જ વધી જાય છે, પણ માણસ માત્ર કેળવી શકાતા નથી. તેની પણ મર્યાદા હોય છે. એ મર્યાદામાં જાતિ-કુળ આદિ પ્રધાન ભાગ ભજવે છે. કઈ વ્યક્તિ અપવાદભૂત નીકળે એથી એ મર્યાદાને બાધ આવતું નથી, એટલે મર્યાદા વિચારીને કરેલો યત્ન સાર્થક બને છે. - ૩૬. કેળવાએલ પશુ માનવ કરતાં વિશેષ કિંમતી છે, અણકેળવાએલ માનવ પશુ કરતાં પણ નપાવટ છે. ૩૭. પ્રાણી માત્રની દયા ચાહનાર કદીપણુ દયા પાત્ર થતા નથી, અને પ્રાણી માત્રની દયાને ઉવેખનાર કદી પણ દયાપાત્ર મટતું નથી. જ્યારે જ્યારે અન્યની દયા માંગવી પડે છે, ત્યારે ત્યારે વિચારવું કે હજુ પોતાનામાં દયાની ઓછાશ છે. દયાની પૂર્ણતા થયા પછી કેઈની પણ દયા યાચવી પડશે નહિ.
SR No.023012
Book TitleJain Shikshavali Sudhabindu
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1960
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy