SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પણ નમસ્કાર કરે છે. આ મહાવ્રતના પાલનથી અનંત આત્માઓ મુક્તિ પામ્યા છે અને ભવિષ્યમાં પણ પામશે. (૧૭) પ્રતિમાદિ :- તથા વિશિષ્ટ તપ કરવું. શ્રાવકની ૧૧ પ્રતિમાઓ છે એનું વર્ણન ‘‘શ્રાદ્ધવિધિ’ ગ્રંથમાં જોવું. વર્તમાન કાળમાં આ પ્રતિમાઓનું પાલન જોવામાં આવતું નથી. તો પણ ઉપધાન તપ, શ્રેણીતપ, સિદ્ધિતપ, મૃત્યુંજયતપ અનુષ્ઠાન શક્તિ મુજબ કરવાં. (૧૮) અંતિમ આરાધના કરવી :- આયુષ્યના અંતમાં અંતિમ આરાધના સંલેખનાદિ વિધિથી કરવી. પ્રતિક્રમણ વગેરે આવશ્યક કર્તવ્ય કરવા વ્યક્તિ અસમર્થ હોય ત્યારે અથવા મૃત્યુ હવે નજીક છે એમ જાણીને દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે સંલેખના કરવી— (૧) દ્રવ્ય સંલેખના- ધીરે ધીરે ચરણબદ્ધ રીતે આહારનો ત્યાગ. (૨) ભાવ સંલેખના- ક્રોધાદિ કષાયોનો ત્યાગ. આ પ્રમાણે સંલેખના કરીને જીવનના અંત સમયે સકલ શ્રાવક શ્રાવિકાએ ધર્મારાધનારૂપી મંદિરના શિખર સમાન સંયમ ધર્મનો સ્વીકાર કરવો. નલ રાજાના ભાઇ કુબેરના પુત્રે જેનું તાજુ લગ્ન થયું હતું તેણે મુનિભગવંતના મુખેથી જ્યારે એમ જાણ્યું કે હવે તેનું આમુષ્ય માત્ર પાંચજ દિવસ બાકી છે, દીક્ષા લઇને સિદ્ધ થયા. સંથારા, દીક્ષા જેવા અવસરે પ્રભાવના આદિ ધર્મકાર્યોમાં શક્તિ અનુસાર ક્ષાવકે પોતાના ધનનો . સય કરવો. થરાદના આણુ સંઘવીએ સાત ક્ષેત્રોમાં સાત કરોડ દ્રવ્યોનો વ્યય કર્યો હતો જેને સંયમનો યોગ ન હોય તેણે શત્રુંજય આદિ શુભ તીર્થસ્થાનમાં જઇ અણસણ સ્વીકારવું. ટૂંકમાં અંતિમ આરાધનાનાં દસ દ્વાર છે. (૧) અતિચારોની આલોચના, (૨) વ્રતોનું પુનરુચ્ચારણ, ૩૦
SR No.022998
Book TitleJain Shravakachar
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay, Rasiklal Choxi
PublisherShah Ishwarlal Kishanji Kothari
Publication Year
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy