________________
ઊંટ‘અને બળદો હતા. મંત્રીશ્રી વસ્તુપાલે કાઢેલી ૧૨ા તીર્થયાત્રાઓ પણ ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અંકિત થયેલી છે. ૩.
મંદિરમાં સ્નાત્ર મહોત્સવ : ચોસઠ ઇન્દ્રો દ્વારા કરવામાં આવેલ પરમાત્માના જન્માભિષેકનું મહોત્સવપૂર્વક અનુસરણ કરવું. શ્રી પેથડશાહ મંત્રીશ્વરે ગિરનાર તીર્થમાં ૫૬ ધડી સોનાનો ચઢાવો લઇને ઇન્દ્રમાળ પહેરી હતી. ૪.
દેવદ્રવ્યની વૃદ્ધિ સંઘમાળ,ઉપધાનની માળ વગેરેના ચઢાવાની બોલી બોલીને માળ પહે૨વી-પહેરાવવી. મન્દિર અને પૂજા સામગ્રીના અર્પણ કરવાના ચઢાવા,પૂજા -આરતીના ચઢાવા, પ્રભુજીની માતાઓને આવનાર ચૌદ સ્વપ્નના તથા પ્રભુજીના પારણાના ચઢાવા બોલીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી તથા કરાવવી. કુમારપાલ મહારાજે કાઢેલ સંઘમાં મહુવાનિવાસી જગડુ સુશ્રાવક સવા કરોડની બોલી બોલ્યા હતા. ૫.
મહાપૂજા : શ્રી અર્હત મહાપૂજન, શ્રી સિદ્ધચક્ર મહાપૂજન વગેરે પૂજનોમાં વિશિષ્ટ નવઅંગી પૂજા, આંગી, મૂલ્યવાન આભૂષણ ચઢાવવા, પુષ્પગૃહ,પાણીના ફૂવારા, કદલીગૃહ, દીપકોની રોશની, વિવિધ સંગીત, નૃત્ય આદિનું આયોજન કરવું જોઇએ. ઉદાહરણતઃ કોઇ એક શેઠે સમુદ્રયાત્રા માટે પ્રસ્થાન કરતી વખતે રૂપિયા એક લાખના ખર્ચે તથા બાર વર્ષની સમુદ્રયાત્રાથી મનોવાંછિત લાભ, પ્રાપ્ત થવાથી, પાછા ફર્યા બાદ એક કરોડના ખર્ચે મહાપૂજા
કરી
હતી. ૬.
રાત્રિ જાગરણ : ઉપર જણાવેલ મહાપૂજાની સાથે ઠાઠમાઠથી પરમાત્માની પ્રીતિના પ્રતીકરૂપ પ્રભુગુણોનું કીર્તન કરતાં કરતાં ઓછામાં ઓછો એક રાત્રિજંગો પણ કરવો. અનાદિ
૨૨