________________
નિર્ભયતાને રાજમાર્ગ uuuuuuuuuuuuuuuuuuuu ગયાં હતાં. શહેરનું પ્રત્યેક કુટુંબ મુઠ્ઠીમાં જીવ લઈને અગવડોને ધેય પૂર્વક સામને કરતું હતું. જર્મનીને ઉદ્દેશ લંડનવાસીઓની ધીરજના ભૂક્કા બોલાવવાનું હતું. જો કે એને એ ઉદેશ સફળ ન થયા.
આ વખતે લંડનવાસીઓનીઉત્કટ મનવૃત્તિ તથા ઉદાત્ત સ્વભાવનાં દર્શન થયા. એક વાત નક્કી કે લોકોમાં અદમ્ય આત્મવિશ્વાસ હતો. સતત ધાસ્તીભર્યા આ વિચિત્ર જીવનનો લોકોએ સ્વીકાર કર્યો હતો. લોકોની સહનશીલતાની આ ભારે કરી હતી.
એકવાર એક જ હુમલા દરમ્યાન લંડન શહેરમાં લગભગ ૧૫૦૦ સ્થળે આગ લાગી હતી.
લંડન પરની આ બોમ્બવર્ષો દરમ્યાન આ મહાનગરી કોઈ પુરાતન પ્રાણુ જેવી-ભયંકર જખમોથી લોહીલુહાણ થયું હોય અને છતાં માત્ર જિજીવિષા Will to live ના જોરે હરતું ફરતું હોય તેવી-લાગતી હતી. અનેક લોકોને આ વિધ્વંસ જે પડ્યો, સહેવો પડ્યો. તેમણે તે સહન કર્યું એટલું જ નહિ વધુ આવી પડત તો ય તેમણે તે ધિર્યપૂર્વક સહન કર્યું હતું. એ વખતે લંડનવાસી હોવા બદલ કોઈને ય ગૌરવ ઉપજે એવું હતું.”
દેશની રક્ષા માટે કે પોતાની સ્વતંત્રતા માટે કયારેક લોકોને આ સમૂહ ભયને સામને આસાનીથી કરે છે. બીજાને નિર્ભય દેખી ભયભીત વ્યક્તિમાં પણ ભયને પ્રતિકાર કરવાની તાકાત આવે છે.