SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ] જીવન સાય wuuuuuuuunsunumununun બાદશાહે કહ્યું: “જુઓ વજીર ! સત્સંગના પ્રભાવથી આ બિલાડી પોતાના માથા પર પ્રગટેલો દીપક રાખી જ્યાં સુધી હું કુરાનના કલમાં પઢી લઉં ત્યાં સુધી સ્થિરપણે બેસી રહે છે. આ સત્સંગની અસર છે.” વજીરે કહ્યું: “શહેનશાહ! માત્ર સત્સંગથી સ્વભાવ બદલાતું નથી. હું પ્રસંગ આવે બતાવીશ.” એક રાત્રે બાદશાહ કુરાન પઢી રહ્યા હતા અને બિલાડી માથે દીપક રાખી સ્થિર બેઠી હતી, ત્યારે વજીરે ઉચિત અવસર સમજી બે ચાર ઉંદરના બચ્ચા ત્યાં છોડી મૂકયા. બિલાડી એકદમ ઉછળી ઉંદરને પકડવા દેવી. મસ્તકથી દીપક નીચે પડી ઓલવાઈ ગયે. દીપકનું તેલ કુરાન પર પડ્યું. . વજીરે કહ્યું: “માલિક! માત્ર સત્સંગથી સ્વભાવમાં પરિવર્તન આવતું નથી. રવભાવમાં પરિવર્તન લાવવા માટે સદાચાર અનિવાર્ય છે.” કોરે સત્સંગ કે કેરા સવિચારથી સ્વભાવ નહિ બદલાય. સ્વભાવ બદલવા માટે જીવનમાં આચરણ જરૂરનું છે, સક્રિયા સદવર્તન, સદાચાર જરૂરના છે. જ બાળકને સંસ્કાર જ માતાપિતાનું વર્તન બાળકો ઉપર અસર કરે છે, માત્ર કરી શીખામણ એટલી અસર કરતી નથી. રવિશંકર મહારાજે એક પ્રસંગ કહ્યો છે. કાઠિયાવાડમાં
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy