SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરિહંતાદિ પાંચેય પરમેષ્ઠિઓ આ સવ દુષ્કૃત્યેના ત્યાગી અને સુકૃતના ભંડાર છે, તેથી જ તેઓને કરેલે નમસ્કાર આપણામાં દુષ્કૃત્યની ગહનું અને તેના ત્યાગનું તથા સુકૃત્યની અનુમંદનાનું અને. તેની આરાધનાનું બળ પૂરે છે, સામર્થ પ્રગટાવે છે.. ગ્રન્થકાર અને તેની પ્રાચીનતાપ્રસ્તુત ગ્રન્થમાં આવી અનેક ઉપકારક બાબતે. સૂચિત થયેલી છે. એમ બારમી સદીની પ્રથમ પચ્ચીશીમાં રચાયેલા આ ગ્રન્થરનની રચના અને રજૂઆત અદ્દભૂત. છે, અતિ ઉપકારક છે. નવાંગીટીકાકા૨, પરમગીતાથ શ્રી અભય-- દેવસૂરીશ્વરજી મહારાજાના વડીલ ગુરુબંધુ શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ આ ગ્રન્થના કત છે. શ્રી સકળ સંઘને આરાધનાનું સુંદર માર્ગદર્શન મળે એ શુભાશયથી જ થએલી પિતાના લઘુ ગુરુબંધુની પ્રેરણા અને પ્રાર્થનાથી આ વિશાળકાય ગ્રન્થરત્નની તેઓશ્રીએ રચના કરી છે. ભાવપૂર્વક એકાગ્રચિત્તે આ ગ્રન્યરત્નનું વાચન-- શ્રવણું કરવાથી પત્થર જેવા કઠિન હૃદયમાં પણ સંવેગરસની સેર ફૂટયા વિના ન રહે, એ ગ્રન્થને એક એક કલેક, એક એક વાક્ય કે એક એક પદ પણ જાણે પરોપકારપરાયણ પૂ. ગ્રન્થકારમહર્ષિના સુવિશુદ્ધ અનુભૂત ભાનું પ્રતિબિંબ જ હોય, તેવી સ્પષ્ટ પ્રતીતિ તેના
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy