SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ દ્વારમાં ચતુવિધ શ્રીસંઘને ઉપયોગી આરાધનાની પુષ્કળ સામગ્રીને સંગ્રહ છે. અને એ દ્વાર પૂર્ણ કર્યું છે. (૨) પરગણુસંક્રમણ અને (૩) મમવ. વિમોચન દ્વારમાં આચાર્ય વગેરે પદસ્થાને પણ આત્મ સમાધિ માટે પરગચ્છમાં જવાનું અને સ્વગચ્છની બાહ્ય જવાબદારીઓ અને મમતાથી મુક્ત થવાને જે ઉત્તમ વિસ્તૃત વિધિ બતાવ્યો છે, તે તે કાળની અંતિમ આરાધનાની ભવ્યતાની ઝાંખી કરાવે છે તથા વર્તમાનમાં લુપ્તપ્રાયઃ થએલા આ વિધિને પુનઃ જીવંત બનાવવાની પ્રેરણા આપે છે. (૪) સમાધિલાભદ્વાર–સર્વ મુમુક્ષુ આત્માઓનું દયેય “પરમ સમાધિ” છે, તેને પ્રાપ્ત કરવાના વિવિધ ઉપાય જણાવ્યા છે. તેમાં પહેલા અનુશાસ્તિદ્વારમાં સમાધિ માટે ખાસ જરૂરી બાબતેના હેય અને ઉપાદેય એમ બે ભાગમાં નિર્દેશ કર્યો છે. તેમાં ઉપાદેયવિભાગમાં નમસ્કાર, ચાર શરણુ, દુષ્કૃત ગહ અને સુકૃત અનુ મેદનાએ ચાર પ્રધાન દ્વાર છે. તે અંગે થોડું વિચારીએ. (૧) નમસ્કારનું અદ્દભૂત માહાસ્ય-મહામંત્રના અદ્દભૂત પ્રભાવ-પ્રતાપને વર્ણવતાં કહ્યું છે કેનમસ્કાર મહામંત્ર ભવાટવીમાં શરણભૂત, અસંખ્ય દુઃખને નાશક અને મોક્ષપદપ્રાપક છે, તેમજ સર્વ કલ્યાણરૂપ કલ્પવૃક્ષનું અવંધ્ય બીજ છે. ત્રણેય લેકમાં અતિ અદૂભૂત એવી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રીને જે
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy