SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સુમન ! એ રીતે ધર્મના મૂળમાં રહેલા શિષ્ટાચારામાં ધર્મના ફળરૂપ મોક્ષને આપવાનું સામર્થ્ય છે. તેના પાલન વિના લૌકિક-લોકેત્તર એક પણ સુખને પામી શકાય નહિ. સુમન ! માર્ગોનુસારિતાના પાંત્રીશ ગુણે એ શિષ્ટાચારનું પાલન છે અને શિષ્ટાચારની પ્રશંસારૂપ તેને બીજે પ્રકાર તે શિષ્ટાચારનું દાન છે. સુમન ! અન્ય જીવોને શિષ્ટાચારી બનાવવાની વૃત્તિ વિનાનું કેવળ શિષ્ટાચારનું પાલન અપૂર્ણ રહે છે, યથાર્થભાવને પામતું નથી. માટે શિષ્ટાચારનું દાન કરવાને ઉપાય જે તેની પ્રશંસા, તે આવશ્યક હોવાથી અહીં તેને કહ્યો છે. એ પ્રશંસા અંગે આપણે હવે પછી વિચારીશું.
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy