SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ - સુમન ! અનુકૂળતા-પ્રતિકૂળતા એ માત્ર માનસિક મેહજન્ય વિક છે, તત્ત્વથી સત્ય નથી. આપણે જાણીએ છીએ કેએક કાળે વિપુલ સુખસામગ્રી ભેગવનાર પણ પરિસ્થિતિ પલટાતાં પૂર્વની સ્થિતિને ભૂલીને નોકરી પણ પ્રસન્નતાથી કરી શકે છે. એક કાળે નોકરોના બળે જીવનાર નોકરી મળતાં પ્રસન્ન થઈ જાય છે. લેશ પણ ગરમી કે સંકડાશને ઘરમાં નહિ ચલાવી લેનાર પ્રસંગે સખ્ત ભીડમાં ઉજાગર કરીને ઊભા ગગે કલાકે સુધી રેલ્વે વગેરેની મુસાફરીમાં અગવડો ભેગવી શકે છે. વિવિધ વાનગીઓથી પણ સંતોષ નહિ અનુભવનાર પરિસ્થિતિને વશ સૂકા રોટલાને પણ પ્રસન્નતાથી આરોગે છે. એક દિવસ પણ પ્રિય જનને વિયેગ નહિ સહન કરનાર વર્ષો સુધી સ્વજનથી દૂર દેશાવરમાં જીવન ગુજારી શકે છે. કેઈ તે જેના નેહથી ઘેલે બને છે, તેનું મુખ પણ જોવા માગતા નથી. સુમન ! આવું આવું તો આપણે ઘણું જોઈએ છીએ અને અનુભવીએ પણ છીએ. એક કાળે અનુકૂળ હોય તે બીજા કાળે પ્રતિકૂળ બની જવાનાં દૃષ્ટાતો ઘણાં મળે છે. અણગમતુંગમતું અને ગમતું-અણગમતું બની જાય છે. શું આ બધું માનસિક ક૯૫ના માત્ર નથી? અને આ કલ્પનાઓને વશ થઈ ઘણુંખરું આપણે અન્યાયને માર્ગે જતા નથી? સુમન ! એ કારણે ન્યાયનું તાત્વિક પાલન કરવા માટે આપણે વૈરાગ્યને પ્રગટાવવા પડશે. સ્વાર્થને ગૌણ કરી પરા ભાવને પ્રગટાવ તે વૈરાગ્ય છે. સ્વાર્થને ગૌણ કરવા છતાં પરાર્થભાવને પ્રગટ નહિ કરીએ, ત્યાં સુધી અન્યાયનું સર્વથા ઉન્મેલન નહિ થાય. લોકાચાર કે કુળાચારથી આપણે વ્યવ
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy