SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ સુમન ! ગૃહસ્થ જીવનમાં અનેક પાપ કાર્યો અનિવાર્ય છે, સાધુપુરૂષે જ એનો ત્યાગ કરી શકે છે. જે આ કાર્યોમાં આપણે ધર્મનું શરણ ન લઈએ તો આપણું શું દશા થાય? સાધુ જીવનની શુભ પ્રવૃત્તિ સ્વરૂપ શુભ છે, છતાં સાધુપુરુષે પ્રત્યેક કાર્યોમાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું શરણ કરે છે, તો ગૃહસ્થને પ્રત્યેક કાર્યમાં ધમને આગળ રાખ્યા વિના કેમ ચાલે ? એક તે ઘણું ખરું સાવદ્ય જીવન અને તેમાં ધર્મનું શરણ ન લઈએ, તે પરિણામ કેવું દુઃખદ આવે? સુમન, ધર્મનું બળ પામ્યા વિના બુદ્ધિ શુદ્ધ થતી નથી. અમૂઢલક્ષ્યતા પ્રગટતી નથી. માટે તું તે જ્ઞાની ભગવંતો બેસતાં ઉઠતાં, ઊંઘતાં-જાગતાં, ખાતાં-પીતાં, લેતાં-દેતાં કે જતાં આવતાં; સર્વ કાર્યોમાં શ્રીનવકાર મંત્રનું મંગળ કરવાનું કહે છે. પ્રત્યેક કાર્યમાં બુદ્ધિને નિર્મળ અને અમૂઢ રાખવાના કહેશથી સાધુ ભગવંતે પણ ભેજન, વિહાર, નિદ્રા વગેરે. કાર્યોમાં પહેલાં શ્રી નવકારસ્મરણાદિ મંગળ કરે છે. કદાચ તેઓ ન કરે તે ચાલે, કારણ કે તેઓની પ્રત્યેક પ્રવૃત્તિ શુભ હોય છે, ગૃહસ્થને તે પ્રત્યેક પ્રવૃત્તિ પ્રાયઃ સાવધ હેવાથી તેમાં ધર્મને આગળ રાખવું જ પડે. અન્યથા તેનું ગુણસ્થાનક ટકે જ નહિ, વધે જ નહિ. “લૌકિક કાર્યોમાં ધમની સહાય લેવી, એ પ્રમાદ” એવું તું સમજે છે તે યથાર્થ નથી. વસ્તુતઃ લંકિક કે લકત્તર કઈ પણ કાર્યમાં બુદ્ધિને અમૂઢલક્ષ્યવાળી રાખવા માટે મંગળ તરીકે ધર્મની સહાય તે લેવી જ જોઈએ, સર્વ શુભકાર્યોને આધાર શુદ્ધ બુદ્ધિ છે. અને બુદ્ધિને
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy