SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસે મેં નિષ્ફળ અનર્થકારક ગુમાવ્યા. તેથી હવે જે ગુરુયોગ મળે, તે મારા ઈષ્ટકાર્યને સાધું. એમ શુભ ભાવનામાં પ્રભાત થયું. પૌષધ પારીને પ્રાત:કાર્યો કરીને રાજસભામાં ગયો. ત્યારે બહાર મૃગરમણ ઉદ્યાનમાં કેવળીભગવંતનું આગમન સાંભળ્યું, તેથી હર્ષિત થયેલો તે મોટા આડંબરથી ત્યાં ગયો અને વિનય-ભક્તિથી તેઓને પ્રણામ કરીને યોગ્ય ભૂમિએ બેઠે. પછી દેશના સાંભળીને સવેગને પામેલા તેણે કેવળીભગવંતને પ્રાર્થના કરી કે હે ભગવંત! આપના ચરણનું શરણ આપીને મારા શેષ જીવનને સફળ કરો ! હે ભગવન ! મેં આજ સુધી માનવજન્મને નિરર્થક ગુમાવ્યો છે. કેવળીભગવંતે કહ્યું કે-રાજન્ આ જન્મમાં તે ગુમાવ્યું તે તે કેટલું માત્ર છે? પૂર્વભવમાં જે ગુમાવ્યું છે, તે તે કહેતાં પણ ભય લાગે અને લેકને આશ્ચર્યકારક બને તેવું છે. ત્યારે બલિરાજે કહ્યું કેભગવદ્ ! તે સાંભળવા મારી ઈચ્છા છે. કેવળીભગવંતે કહ્યું કે તે તે આયુષ્ય પૂર્ણ થાય તે પણ ન કહી શકાય તેટલું-તેવું છે, છતાં જે તારે સાંળળવું હોય, તે સંક્ષેપમાં સાંભળ! એમ કહીને તેનું પૂર્વ સંસાભ્રમણ અને સમક્તિ પામ્યા પછીના ભવેનું વર્ણન સંક્ષેપમાં જણાવ્યું.
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy