SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ વા ષિ ક પ ર્વ સં ગ્રહ દાન કહીએ, ચોથું યાચક પ્રમુખને દાન આપવું તે કીર્તિદાન કહીએ, પાંચમું કુટુંબ વિગેરેને આપવું તે ઉચિતદાન કહીએ. એ પાંચેદાન માંહેલા પ્રથમના બેદાનથકી મોક્ષની પ્રાપ્તિ થાય અને પાછલના ત્રણદાનથકી ઈચ્છિત ભેગવસ્તુની પ્રાપ્તિ થાય. માટે સુખની ઇચ્છાવાલા જીએ અવશ્યદાન દેવું જોઈએ. તેમાં પણ જીવદયાની બાબતમાં આઠ માસ કરતાં આ અષાઢ ચોમાસામાં બહુજ યત્ના રાખવાની જરૂર છે. કારણકે વરસાદાદિકકારણે કરી ત્રસાદિક ઘણું જીવની ઉત્પત્તિ થાય છે. માટે શ્રાવકેએ પિતાના રહેવા આદિકના સ્થાનકોએ દસ ઠેકાણે તે ચંદરવા બાંધવા જોઈએ. ઘરમાં અથવા આંગણામાં કે રહેવાના સ્થાનમાં વાસણાદિ વાપરવાની વસ્તુઓમાં લીલ કુલ વિગેરે ના થાય તેને માટે પ્રથમથી જ ચૂના આદિકને ઉપગ રાખવો, બત્રીશ પ્રકારના અનંતકાય અને બાવીશ પ્રકારના અભક્ષ. પદાર્થોને તે હંમેશને માટે ત્યાગજ હોય. પરંતુ કેટલાક ભક્ષ પદાર્થો પણ ત્રાતુના ફેરફારે કરી અભક્ષ થાય છે. જેમકે આદ્રા નક્ષત્ર પછી કેરી ત્યાગ થાય છે. ફાલ્ગણ માસ પછી ભાજી પાલો ત્યાગ થાય છે. તેમજ ચોમાસામાં પણ લીલકુલાદિક અને ત્રસાદિક ની વિશેષ ઉત્પત્તિ થવાથી મે-ફેલે અભક્ષ થઈ જાય છે. ચારોલી પિસ્તા બદામ સોપારી નાળીયેર વિગેરે તેજ દિવસે ખપે બીજે દિવસે લીલ વાલાં થઈ જવાથી અભક્ષ ગણાય છે. ઈત્યાદિ ગુરુગમ સમજીને ઉપગ રાખી જયણા પૂર્વક વાપરવાં. વલી ચોમાસાને પાણી વિગેરેને કાલ નીચે પ્રમાણે છે. પાણીને કાલ ત્રણપહાર કામલીને કાલ છ ઘડીને જાણો–સુખડીને કાલ–૧૫ દીવસને એમ–ઘરમાં લેટ
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy