SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સંયમની સાધનારૂપ પગદંડીઓ છે ૧ ગુરુ આજ્ઞા એ સંયમસાધનાને મુખ્ય પ્રાણ છે, તે વિના કદી પણ આત્મકલ્યાણના પંથે પ્રયાણ શક્ય નથી જ! ૨ ગુરુના ચરણોમાં આત્મસમર્પણ સંયમ સાધનાનું મુખ્ય અંગ છે. ૩ ગુરુમહારાજને ઉપકાર રેજ સ્મરણ કરવું જોઈએકે મને ભવસમુદ્રમાં પડતે કે બચા? અને બચાવવા હજી પણ નિષ્કારણ કરુણા વરસાવી રહ્યા છે. ૪ ગુરુમહારાજ કાંઈ પણ કહે-આજ્ઞા કરે, ભૂલ થતાં તે સંબંધી ઠપકે આપે કે કદાચ કઠેર સ્વરે તર્જનાદિ પણ કરે, પણ આ બધું મારા આત્માના એકાંત હિત અર્થે છે. મારા ભાવગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુમધ્ય–તીવ્ર કે કડવા ઔષધના વિવિધ પ્રયોગની પ્રક્રિયા પૂ. ગુરુદેવ અપનાવી રહ્યા છે. આ જાતની શુભ વિચારણાના વિવેકબળે ટકાવવી જરૂરી છે. ૫ પૂજ્ય અને ઉપકારી ગુરુદેવ કે વડિલની સામે કદી પણ જેમ તેમ અસત્ય ન બોલાય આ માટે પૂરતું ધ્યાન રાખવું. ૬ શરીરને જેટલું ઈચ્છાપૂર્વક કષ્ટ આપીએ તેટલી વધુ પાપની નિર્જરા થાય છે. ૭ પાંચ મહાવ્રતનું પાલન પિતાના વહાલા પ્રાણની જેમ કરવું જોઈએ.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy