________________
કરેલા પ્રેમને લીધે જ આજે હું આ પુસ્તક લખવાનું સાહસ કરી શકયો છું. એક રીતે આ ગ્રંથ તૈયાર કરવામાં મને જે બળ પ્રાપ્ત થયું છે, તે એમના તરફની પરોક્ષ પ્રેરણું છે. આથી જ આ યોગ્ય સ્થળે હું તેમનો ઉપકાર માનું છું.
મારી જાણ મુજબ ગુજરાતી ભાષામાં આવા પુસ્તક માટે આ પ્રથમ પ્રયાસ છે. કોઈ મહા કાર્યમાં સંપૂર્ણ કાળજી રાખવા છતાં દોષો રહી જાય છે, પણ તે મનુષ્યની અપૂર્ણતા સૂચવે છે. આ ગ્રંથની અંદર કેટલેક સ્થળે દૃષ્ટિદોષ અગર બીજી ત્રુટિઓ રહી ગઈ હોય તે બનવાજોગ છે, પણ તે માટે શિક્ષકબંધુઓ તથા વિદ્યાર્થી ભાઈએની ક્ષમા યાચું છું, તેમજ સાગ્રહ વિજ્ઞપ્તિ કરું છું કે એવી ત્રુટિઓ લેખકના ધ્યાન ઉપર લાવવામાં આવશે, તે નવી આવૃત્તિ વખતે સુધારો કરવામાં તે સહાયરૂપ થઈ પડશે. કેટલીક ભૂલોનું શુદ્ધિપત્ર આ પુસ્તકને અંતે આપવામાં આવ્યું છે. છેવટે નીચેના સંસ્કૃત સુભાષિત તરફ વાચકબંધુઓનું ધ્યાન ખેંચું છું.
गच्छतःस्खलन क्वापि भवत्येव प्रमादतः। हसन्ति दुर्जनास्तत्र समादधति साधवः ।।
નાળિયેરી પૂર્ણિમા, સં. ૧૯૯૦ ) તા. ૨૪મી ઓગસ્ટ, ઈ. સ. ૧૯૩૪
અમદાવાદ,
જે. ગો. શાહ