SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ આરંભ થઈ ચૂક્યો હોય અને તે ચાલું હોય, ત્યારે વર્તમાનકાળ વપરાય છે. (પ્રવૃત્તાવિરામે રાતિયા મવન્તી ) અર્થાત જે ક્રિયા દેખાડવાને માટે વર્તમાનકાળનો પ્રયોગ કરવામાં આવે છે તે હજુ ચાલુ છે, તેને અંત આવ્યો નથી એમ તે સૂચવે છે. મયં પુરુષો કન્થ ચિત્તતિા એમ જ્યારે કહીએ ત્યારે તેને એટલો અર્થ થાય છે કે તેની ગ્રંથ લખવાની ક્રિયા હજુ ચાલુ છે, તે અટકી ગઈ નથી. જ્યારે આપણે તે વાક્ય ઉચ્ચારીએ છીએ, ત્યારે પણ તે લખવાનું કામ કરે છે. તારાપો देवीमवदत् । अफलमिवाखिलं पश्यामि जीवितं राज्यं च । " ( તારાપીડે રાણીને કહ્યું. “અફલની માફક તમામ જીવનને તથા રાજ્યને હું જોઉં છું.) આ વાક્યમાં પણ જ્યારે તારાપીડ રાણીને કહે છે, તે વખતે પણ તેના અનુભવમાં તેનું જીવન તથા રાજ્ય નિષ્ફળ લાગે છે; અર્થાત્ જીવન તથા રાજ્ય વિષેને એને અનુભવ ચાલુ જ છે. આ રીતે મૂળ વર્તમાન કાળ, સંસ્કૃત ભાષામાં જે ક્રિયાને આરંભ કરવામાં આવી હોય - તે હજુ ચાલુ છે એવો અર્થ જણાવવાને જ વપરાય છે. આથી આપણે જે તે ક્રિયાની ફક્ત વર્તમાનકાલીનતાને જ અર્થ જણાવવા માગતા હોઈએ તો આપણે બધુના, સંતિ, ફની વગેરે ક્રિયાવિશેષણને પ્રયોગ વાકયમાં કરવો જોઈએ. નવવુના માચ્છામિ “હું શહેરમાંથી હમણું જ આવું છું.” અર્થાત | મારી આવવાની ક્રિયાની શરૂઆત હમણાં જ થઈ છે, આ પહેલાં નહિ. જે કે વર્તમાનકાળનો પ્રયોગ ઉપર જણાવેલા અર્થમાં જ વસ્તુતઃ થઈ શકે છે, છતાં તે નીચેની બાબતમાં પણ વપરાય છે. - (૧) વાર્તાઓના બનાવો વર્ણવવામાં તથા ઐતિહાસિક ભૂતકાળને - ': અર્થ જણાવવાને સંસ્કૃત ભાષામાં વર્તમાનકાળ વપરાય છે.
SR No.022964
Book TitleSanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorJethalal Govardhan Shah
PublisherGujarat Oriental Book Depot
Publication Year1940
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy