SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય રીતે જ્યારે કોઈ વાકયમાં અમુક ક્રિયાથી સમય દર્શાવવાને હોય, ત્યારે સતીસપ્તમી આવે છે. જેમકે સૂર્ય ઉગતાં રાજાનું સૈન્ય દેખાયું. સૂર્ય તિ રાણઃ સેનાદરયત “રાજાનું સૈન્ય દેખાયું એટલું જ મુખ્ય વાક્ય છે, પણ તે વાક્યના પ્રથમ ભાગમાં સૂર્ય ઉગતાં એવા કૃદન્તવાળો ભાગ છે, અને તે ક્રિયાને સમય દેખાડે છે માટે અહીં “સૂર્ય ઉગતાં” ને સતીસપ્તમીમાં આપણે વાપરીશું. સૂર્યની સપ્તમી વિભક્તિ સૂર્યું અને કાન “ઉગતાં,”ની સાતમી વિભક્તિ એકવચન ૩યતિ છે. પણ જે તિરસ્કાર અગર અવગણનાને અર્થ ‘છતાં ”થી સૂચિત કરવાનો હોય તો સભાછી વાપરવી. જેમકે ગુરુના દેખતાં છતાં, શિષ્ય અવિનય કર્યો. Tછે. પરંતઃ રિચેવિનય શ્રતઃ અહીં ગુરુની તરફ અવગણનાનો અર્થ છે युष्माकं प्रेक्षमाणानामेनं कुमारवृषसेनं स्मर्तव्यशेषं नयामि તમારા બધાના દેખતાં છતાં આ કુમાર વૃષસેનને હું સ્મરણમાં જ બાકી રાખીશ. (અર્થાત મારી નાખીશ.) કેટલાક વખત આ અર્થમાં સત્વશ્રી તેમજ સતીસપ્તમી પણ વપરાય છે. જેમકે रुदति पुत्रे रुदतो वा पुत्रस्य पिता प्रावाजीत् પુત્રના રડવા છતાં પિતા સંન્યાસી થઈ ગયે. જ્યારે 'ને અર્થ દેખાડવાને હોય તે સત્સતમી વાપરવી. સંસ્કૃત ભાષામાં સત્સસમી જ વધારે જોવામાં આવે છે. सूर्येतपत्यावरणाय दृष्टे: कल्पेत लोकस्य कथं तमिस्रा । સૂર્ય જ્યારે લેકની દષ્ટિને ઢાંક્વાને તપતો હોય, ત્યારે અંધકાર શી રીતે સમર્થ બને?
SR No.022964
Book TitleSanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorJethalal Govardhan Shah
PublisherGujarat Oriental Book Depot
Publication Year1940
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy