________________
પ્રસ્તાવના
(
આ પુસ્તકનું નામ “ સંસ્કૃત ભાષાનું વ્યાકરણુ ’ એવું રાખ્યું છે; કારણકે એમાં સંસ્કૃત ભાષાના વ્યાકરણના જ વિષય અમુક મર્યાદામાં રહીને ગુજરાતી ભાષામાં સમજાવવામાં આવ્યા છે. કાઈપણ ભાષાનું વાડ્મય બરાબર સમજવાને તેના વ્યાકરણના અભ્યાસની આવશ્યકતા છે. સંસ્કૃત ભાષાને તે આ કથન સવાંશે લાગુ પડે છે; કારણકે ભાષાની વિશિષ્ટતા તા એ છે, કે વ્યાકરણના અભ્યાસ વગર તેના સાહિત્યમાં પ્રવેશ કરવા એ અશકય છે.
સંસ્કૃત ભાષાના વ્યાકરણના અભ્યાસ આપણા દેશમાં એ પદ્ધતિથી થાય છે. જૂની અને નવી પતિ મેટે ભાગે સંસ્કૃત પાઠશાળાઓમાં જોવામાં આવે છે. તે પદ્ધતિ પ્રમાણે પાણિનિનાં અષ્ટાધ્યાચીનાં સૂત્રો, સિદ્ધાન્ત કૌમુઠ્ઠી અને લઘુ કૌમુદ્દીનાં સૂત્રાના સુખપાઠ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે વ્યાકરણના નિયમે માત્ર મેઢે જ ગેાખાવવામાં આવે છે, અને જુદા જુદા કાળ તથા રૂપા એળખવા માટે જે પરિભાષા વાપરવામાં આવે છે તે મૂળ વ્યાકરણ ગ્રંથા પ્રમાણે હાય છે.
પરંતુ યુનિવર્સિટીની શિક્ષણસંસ્થાઓમાં નવી પદ્ધતિ પ્રમાણે સંસ્કૃત ભાષા અને તેનું વ્યાકરણ શીખવવામાં આવે છે. મુંબઈ ઇલાકાની હાઈસ્કૂલામાં વિદ્યાર્થીઓને અંગ્રેજી ચેાથા ધારણથી સંસ્કૃતભાષાને બીજી ભાષા તરીકે લેવી પડે છે. એ વિદ્યાર્થીએની સુગમતાની ખાતરસ્વ॰ ડૉ ભાણ્ડારકરે અતિ પરિશ્રમ વેડીને ૮ માર્ગાપદેશિકા નામનાં એ પુસ્તકા પહેલવહેલાં તૈયાર કર્યા. આ મે પુસ્તકા એવી સુંદર શૈલીથી રચાયેલાં છે, કે તેમની ઉપયેાગતા હજુસુધી ઘટી નથી. ત્યારબાદ સદ્ગત