________________
( ૧૦ )
ઉપધાન વિધિ. અને છઠ્ઠા ઉપધાનને છકીયું કહેવાય છે પરંતુ તેના દિવસ સાત છે, એટલું ધ્યાનમાં રાખવાનું છે. આ તપ મધ્યમ શક્તિવાળાની અપેક્ષાએ સમજ.
આ પ્રમાણેને તપવિધિ સાંપ્રતકાળે તપગચ્છની પ્રવૃત્તિ પ્રમાણે લખેલો છે. તે ઉત્સર્ગો સમજ. અસમર્થને માટે તે સહેલા ઉપાયવડે પણ તપપૂર્તિ કરાવી શકાય છે, કેમકે ક્રિયાનું વિચિત્રપણું છે. મહાનિશીથાદિ સૂત્રમાં કહ્યું છે કે –
अह सो हविज बालो, बुढ्ढो वा तरुणओवि हु असत्तो। तो उवहाणपमाणं, पूरिजा निअयसत्तीए ॥ १॥
જે ઉપધાન વહન કરનાર બાળક હય, વૃદ્ધ હેય, અથવા તરુણ છતાં પણ અશક્ત હોય તે ઉપધાન તપનું પ્રમાણ પિતાની શક્તિ અનુસારે પૂર્ણ કરવું.”
છ ઉપધાનની વાચનાઓ. આ છ ઉપધાન જે જે સ્ત્રના અભ્યાસ નિમિત્તે વહન કરવામાં આવે છે તેની ગુરુમહારાજ અમુક અમુક તપના વિભાગે વિધિપૂર્વક વાચના આપે છે, એટલે કે તેને સૂત્રપાઠ. પોતે બેલે છે અને ઉપધાનવાળા પાસે બોલાવે છે. તેમાં છએ ઉપધાનની ૨-૨-૩-૧-૩-૨ આ પ્રમાણે ક્રમથી વાચનાઓ છે. પહેલા ઉપધાનની પહેલી વાચના ૫ ઉપવાસ પૂરતો તપ થાય ત્યારે નવકારના પાંચ પદની, અને બીજી વાચના અઢારીયું પૂરું થાય ત્યારે બાકીના ચાર પદની આપે છે. બીજા ઉપધાનની બે વાચના પિકી પહેલી ૫ ઉપવાસ પૂરતે તપ પૂર્ણ થાય ત્યારે જે જે વા વિવા સુધીની, અને બીજી અઢારીયું પૂરું