SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ છીએ ખરા કે ચાલતું હોય તેમ ચાલવા દો ? અને જે દિવસ વધારે એમ ચાલવા દઈએ તો શું પરિણામ આવે છે ? તાત્પર્ય કે ચાલે તેમ ચાલવા દેવાની નીતિ કેઈપણ રીતે ડહાપણ ભરેલી નથી. તે પછી જે જીવન મહામધું ગણાય છે, અને જે ફરીને પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે, તેની બાબતમાં એ રીતે કેમ થતી શકાય? એ રીતે તે સરવાળે શૂન્ય સિવાય બીજું કંઈ દેખાવને સંભવ નથી, એટલે તેમાં વ્યવસ્થા જોઈએ, નિયમ જોઈએ યેય-લક્ષ્યની પ્રવૃત્તિ જોઈએ અને જે કંઈ વિદનો કે અંતરાય આવે તેને ઓળંગી જવાની હિંમત પણ જોઈએ. એ રીતે વર્ત. મારા જ પિતાના જીવનને સિદ્ધિ કે સફળતાથી સુવાસિત બનાવી શકે છે. અને ઊંચામાં ઊંચે આનંદ માણવાને ભાગ્યશાળી થાય છે. હવે બે શબ્દો રસ માટે કહીશું. અહીં રસ શબ્દનો પ્રયોગ આનંદ માટે કરવામાં આવ્યું છે. પણ આનંદ બે પ્રકારના હોય છે. એક ક્ષણિક અને બીજો દીર્ધકાલીન. તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ રૂ૫ અને શબ્દને સેવન દ્વારા પ્રાપ્ત થતે આનંદ ક્ષણિક છે. અને અદ્યતન સદાચાર સંયમ કે શીલ દ્વારા પ્રાપ્ત થતો આનંદ દીર્ધકાલીન છે, એટલે વ્રત નિયમો કે જેનુ ફળ સંયમનું પોષણ છે. તેનાથી જીવન રસહીન થઈ જવાની ભીતી રાખવી એ ઉલટી ગંગા વહેવડાવવા જેવું છે; જૈન મહર્ષિએ કહે છે કે જેમણે એક એકે વિષયના સેવનની લાલસા રાખી તેના ભૂંડા હાલ થયા તે જેઓ પચે વિષયના સેવનની લાલસા રાખે છે, તેના કેવા હાલ ધશે ? અહી. તેઓ હાથી, મત્ય, ભ્રમર, પતંગ અને સપના દાહરણેક આપે છે. તે સમજવા યોગ્ય છે. * હાશી સ્પેશ સુખને લાલચુ છે, એટલે થોડે દૂર હાથણીને ઉભેલી જોતાં જ તેની સામે પડે છે. પણ માર્ગમાં શું વિદન છે ? મને વિચાર કરે નથી. પરિણામે હાથી પકડનારાઓએ રસ્તામાં આડો ખેલે હોય છે, અને તેના પર ઘાસ-પત્તાં બિછાવી
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy