SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દથી એક જ વસ્તુ અભિપ્રેત નથી, જ્યારે જૈન ધર્મમાં ગની વ્યાખ્યા સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે કરવામાં આવી છે અને તેમાં કઈ મતભેદ નથી. શ્રીમાન હરિભસૂરિએ યોગવિંશિકામાં કહ્યું છે કે “પ્રણિધાથી અત્યંત શુદ્ધ થયેલો સર્વ પણ ધર્મ વ્યાપાર મેક્ષમાં જોડનારો હોવાથી યોગ જાણો. અને વિશેષથી તે સ્થાનાદિગત એ જે ધર્મવ્યાપાર તેને યોગ જાણ. સ્થાનાદિગત ધર્મવ્યાપાર પાંચ પ્રકારનું છે, તે નીચે પ્રમાણે-- ૧. સ્થાનગત ધર્મવ્યાપાર– અહીં સ્થાન શબ્દથી કાર્યોત્સર્ગાદિ સમજવાં. ૨. વિગત ધર્મવ્યાપાર– અહીં વર્ણ શબ્દથી વિતરાગ મહાપુરૂષોએ કહેલાં શાસ્ત્રીવચને સમજવાં. ૩. અગત-ધર્મવ્યાપાર–અહીં અર્થ શબ્દથી વીતરાગ મહાપુરૂષોએ કહેલાં શાસ્ત્રવચનને અભિધેય વિષય સમજવો. ૪. આલંબન ગત ધર્મવ્યાપાર- અહીં આલંબન શબ્દથી શ્રત જ્ઞાનાદિના આલંબનથી ધરાતું ધ્યાન સમજવું. ન સમજવું. ૫. આલંબન રહિત ધર્મવ્યાપાર– અહીં આલંબન રહિત ધર્મ વ્યાપારથી શ્રુતજ્ઞાનના આલંબન વિના શુકલ ધ્યાનના બીજા - પાયાથી શરૂ થતી મન, વચન અને કાયયેગની એકાગ્રતા સમજવી. તાત્પર્ય કે જન શાસ્ત્રોમેક્ષમાં લઈ જનારી સઘળી ક્રિયાઓ, સઘળાં અનુષ્ઠાને કે સઘળા ધર્મવ્યાપારને સામાન્ય રીતે ગ કહે છે પણ તેને વિશેષ વ્યવહાર તે કાર્યોત્સર્ગાદિ કઈ પણ -योगः कर्मसु कौशलम् । – વાસં પાપુ !
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy