SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ એક કાળે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે અને અભિવ્ય આત્માઓ સદાય આ ગુણસ્થાને જ રહે છે, એટલે તેઓ આગળ વધીને સમ્યકત્વને સ્પર્શી શકતા નથી અને તે કારણે કઈ પણ કાળે મેક્ષમાં જઈ શકતા નથી. જેન મહર્ષિઓએ સમ્યકત્વથી રહિત આત્માને સમ્યગ જ્ઞાન માન્યું નથી; સમ્યગૂ જ્ઞાનથી રહિત આત્માને સમ્યફચારિત્ર માન્યું નથી; અને સમ્યફ ચારિત્રથી રહિતને મોક્ષ માન્ય નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા અધ્યયનમાં કહ્યું છે કે – नादंसणिस्स नाण, नाणेण विणा न हुति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥३०॥ અદર્શનીને એટલે સમ્યકત્વ રહિતને જ્ઞાન-સમ્યગજ્ઞાન ન હોય, (સમ્યગુ) જ્ઞાન વિના (સમ્યફ) ચારિત્રને ગુણે ન હોય અને (સમ્યફ) ચારિત્રના ગુણે વિના મેક્ષ ન હેય. જેને મોક્ષ નથી તેનું નિર્વાણ નથી. (આમ તો મોક્ષ અને નિર્વાણુ શબ્દ પર્યાયવાચી છે, પણ અહીં મેક્ષ શબ્દ કર્મક્ષયના અર્થમાં અને નિવાણું શબ્દ મુકિતની પ્રાપ્તિ એટલે છેવટના છુટકારાના અર્થમાં વપરાથેલે છે.) જૈન તના પરમ સંગ્રાહક શ્રી ઉમાસ્વાતિ વાચકે શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રના પ્રારંભમાં જણાવ્યું છે કે હાનિપાન-રાજાજ ક્ષાબા – સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે, તેમાં પણ આ જ અર્થ રહેલ છે. તાત્પર્ય કે અભવ્ય આત્માઓ સભ્યમ્ દર્શનને સ્પર્શ શતા નથી એટલે સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રથી વંચિત જ રહે છે અને તેથી કોઈ કાળે મોક્ષ પામી શકતા નથી.
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy