SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ કર્મબંધનને પ્રસંગ આવે, કેમકે તેમની ગમનાગમનાદિ પ્રવૃત્તિથી કેટલાક ને વધુ જરૂર થાય છે. પણ તેમને કર્મબંધન માન્યું નથી. કારણ કે ત્યાં અપ્રમત્ત ભાવ છે. અને જ્યાં અપ્રમત્ત ભાવ છે, ત્યાં હિંસા સંભવતી નથી. શ્રી. તસ્વાર્થ સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે – પ્રમત્તાત્ કાવ્યuruvi fધ્રા-પ્રમત્ત યોગથી પ્રાણનું જે વ્યપર પણ થાય તે હિંસા. આ વસ્તુ સિદ્ધ કરે છે કે કર્મબંધન અને કર્મક્ષયના વિષયમાં મુખ્યતા ભાવની છે, નહિ કે કાયવ્યાપારની. અનુભવી પુરુષોએ ‘મન gવ મનુષ્યtiાં જ વંધાઃ એ સૂત્ર દ્વારા સ્પષ્ટ કર્યું છે કે “મન મલિન થઈને અશુભ ભાવોનું સેવન કરે તો કર્મબંધનનું કારણ બને છે, અને પવિત્ર થઈને શુભ ભાવોનું સેવન કરે તે મેક્ષનું કારણ બને છે. એટલે બંધ મૂક્ષને બધે ખેલ મન કે ભાવ પર જ રચાયેલ છે. અહીં જૈન મહર્ષિઓના એ શબ્દો પણ યાદ કરવા જેવા किं बहु भणिएण, तत्त सुणेह भो महासत्ता । मुक्खसुहबीअभूओ, जीवाण सुहावही भावे।। હે મહાનુભાવો ! વધારે વર્ણન કરવાથી શું ? તમે તત્ત્વરૂ૫ એક વાત સાંભળી લે, કે મોક્ષ સુખના બીજ જે ભાવ જીવોને સાચું સુખ આપનારો છે.” ભાવમાં એક વિશેષતા એ છે કે તે થોડા જ સમયમાં તેલના બિંદુની જેમ ઘણા વિસ્તાર પામે છે, અને તેથી જે કર્મો લાખ વર્ષમાં પણ ન ખપે તેવા હોય તે ક્ષણ માત્રમાં ખપાવી દે છે, ચક્રવર્તી ભરત તથા શ્રેષ્ઠિપુત્ર ઈલાચીકુમારના વ્યતિકરો આ વિષયમાં પ્રમાણ ભૂત છે. " ભરતરાય છ ખંડ છતીને ચક્રવર્તી થયા પછી એકવાર | આરીસા ભુવનમાં ઉભા હતા, તે વખતે તેમના મસ્તક પર મણિ
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy