SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શકતું નથી. તેથી તે ઉભયનો સમાવેશ પણ માનસિક તિતિક્ષામાં જ કર્યો છે. અહીં એ જણાવવું ઉચિત લેખાશે કે જેન મહર્ષિઓએ શારીરિક તિતિક્ષાના પ્રાધાન્યવાળા તપનો બાહ્મ તપ તરીકે અને માનસિક તિતિક્ષાના પ્રાધાન્યવાળા તપને અત્યંતર તપ તરીકે વ્યવહાર કર્યો છે. એટલે ઉપર્યુકત પ્રકારે બાહ્ય અને અત્યંતર તપના જ સમજવાના છે. તપથી સિદ્ધિ પણ મળે છે, ઋદ્ધિ પણ મળે છે, પૂજા અને પ્રસિદ્ધિ પણ મળે છે, પરંતુ તે નિમિતે તપ કરવું ઉચિત નથી. એવા તપને જૈન મહષિઓ એ માત્ર શરીરને શેષ માને છે. અને તેનું ફળ અતિ અલ્પ થઈ જાય છે, તેમ જણાવ્યું છે. તેઓ કહે છે કે “તપ આ લેકના સુખની ઈચ્છાથી નહિ, પરલોકના સુખની ઇચ્છાથી નહિ, કીર્તિ, વર્ણ (૨૫). શબ્દ કે લેકેષણાની ઈચ્છાથી નહિ, પણ માત્ર કમની નિર્જરાના હેતુથી જ કરવું જોઈએ. ઉપવાસ, આયંબિલ, એકાશન વગેરેના સંજનમાંથી જ વિકાસ પામેલાં અનેકવિધ તપ જિનશાસનમાં પ્રચલિત છે. ૧ અક્ષયનિધિ તપ ૧૧ અશુભ નિવારણ તપ ૨ અખંડ દશમી તપ ૧૨ અષ્ટ અષ્ટમિકા તપ ૩ અગિયાર અંગેનું તપ ૧૩ અષ્ટકર્મસૂદન તપ ૪ અંગશુદ્ધિ તપ ૧૪ અષ્ટ કર્મોત્તર પ્રકૃતિ તપ ૫ અઠ્ઠાવીશ લબ્ધિને તપ ૧૫ અષ્ટ પ્રવચન માતૃતપ ૬ અવિધવા દશમી તપ ૧૬ અષ્ટમસી તપ ૭ અદુઃખદર્શી તપ ૧૭ અષ્ટાદ્ધિક તપ ૮ અમૃતાષ્ટમી તપ ૧૮ અષ્ટાપદ તપ ૯ અંબિકા તપ ૧૯ સ્વર્ગ સ્વસ્તિક તપ ૧. અશોક વૃક્ષ તપ ૨૦ આયંબિલ વર્ધમાન તપ
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy