SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોએ પણ આગમાનુસારિણુ યુક્તિઓ પૂર્વક જ આગમાથે સમજવા સારુ નિયુક્તિઓ, ભાષ્ય, ચૂણિએ અને ટીકાઓ તેમજ ગ્રન્થ બનાવ્યા છે. માટે જ ભવભીરુ આત્માએએ સૂત્રની પેઠે જ પૂર્વાચાર્યોનાં વાક્યો માન્ય રાખવાં જોઈએ. એટલા જ માટે મહર્ષિપુરુષે ફરમાવે છે કે “વસ્તુતત્વ સમજવા માટે પ્રથમ આગમ એટલે પૂર્વ પુરુષોનાં વાળે અને પછી યુક્તિનું આલંબન લેવું” અર્થાત્ એ બને દ્વારા હેયશેય અને ઉપાદેય વસ્તુ સમજવી. તેથી હવે નમસ્કારમહામંત્રની મહત્તા સિદ્ધ કરવા થેડી દલીલ પણ વિચારીએ કારણ કે– - "जो हेउवायपक्खंमि हेउओ आगमम्मि आगमिओ ॥ सो समयपन्नवओ सिद्धान्तविराधगो अन्नो ॥१॥" અર્થ-જે વસ્તુ આગમેથીજ સિદ્ધ છે ત્યાં યુતિવાદ કામ લાગતું જ નથી તે જગ્યાએ તે વસ્તુ સમજવા માટે આગમન જ આશ્રય લે જોઈએ. ત્યાં યુક્તિ લગાડવી વ્યાજબી નથી. તથા જે જગ્યાએ યુક્તિઓથી=દલીલોથી (પક્ષ-હેતુ દષ્ટાંતથી) વસ્તુ સમજાવી શકાતી હોય ત્યાં એકલા આગમને જ આધાર ન રાખતાં દલીલો પણ લગાવવી અને શ્રોતાઓના ચિત્તમાં ભગવાન જીનેશ્વરદેવના વચનની સત્યતા સમજાવવી જોઈએ. જે એ પ્રમાણે વર્તે છે તેજ ગીતાર્થપુરુષે ભગવાનવીતરાગના આગમવચને બીજાઓને સમજાવવા ગ્ય છે. તેજ ગીતાર્થ મહાપુરુષ ગ્રન્થ બનાવી શકે અને વ્યાખ્યાન વાંચી શકે છે. આથી વિપરિત એટલે હેતુવાદ તથા આગમવાદના અજાણ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy