SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૧ બહુત્વને પણ નરક તરીકે ગણાવ્યું છે. ગુજરાતીમાં પણ કહ્યું છે કે “સુખે ન સુવે દીકરીને બાપ” શ્રીદેવીમાં ધર્મ અને સદગુણે જોઈ, માતાપિતા આનંદને પામતાં હતાં, પરંતુ યોગ્ય વર અને ઘર ન મલે તે, આવું નારીરત્ન ઉકરડામાં ફેંકાય તેની ચિંતા પણ વારંવાર થયા કરતી હતી. પ્રશ્ન-કવિઓએ કે જ્ઞાનિઓએ, દીકરીના માબાપને, દુખીયા જ ગણાવ્યા હોય તે, આ સંસારમાં પ્રાયઃ દીકરી વિનાનું ઘર હતું જ નથી, અને દીકરીને બાપ દુખિઓ જ ગણાય તે, આખું જગત દુખી જ ગણવું જોઈએ, પરંતુ આવે અનુભવ જણાતો નથી. ઉત્તર–તમારી દલિલ બરાબર છે. માણસે અનેક પ્રકારના હોય છે. તેમાં જેઓ સારાસારને વિચાર કરનારા હોય, પિતાના સંતાનના સુખદુખના લક્ષવાળા હેય, અપત્ય વાત્સલ્ય હાય, ઉપરની પુત્રી પિતાની વાત તેવાઓને જ લાગુ પડે છે. જેને વિચાર ન હોય, દુનીયાનું જ્ઞાન ન હોય, ખાવું પીવું અને ખુશીમાં રહેવુંના જ આચાર વિચારવાળા હોય, તેવાઓને માટે મહાપુરુષેનાં વાકયે લખાયાં છે એમ સમજવા જરૂર નથી. અસ્તુ - આજ નગરમાં, પિતાની નાતને, શ્રીધર નામા જેવી રહે છે. તેને નાગિલા નામ ભાર્યાથી ધરણુ નામ પુત્ર થયે છે. ધરણ પોતે ડાહ્યો અને વિચારક હતું. સાથેસાથ રૂપ અને કળાઓ પણ પામેલો હોવાથી, શ્રીદેવીના માતાપિતાને શ્રીધરજોષીનું કુટુંબ અને ધરણ મૂરતિઓ ગમી જવાથી, શ્રીદેવીનું ધરણ સાથે પાણગ્રહણ કરાવ્યું, અને એજ પુત્રી હેવાથી,
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy