SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નમસ્કારમહામંત્રરૂપ કેશરીસિંહ બિરાજમાન રહે તે હેય છે. તેમના હૃદયમાંથી આઠ કમરૂપ હસ્તિઓનાં ટેળાં નાશવા જ મંડી જાય છે. नवकारइक्कअक्खरं, पावं फेडेइ सत्तअयराणं । पन्नासं च पएणं, पणसयसागर समग्गेणं ॥ १५ ॥ અર્થ-મરામમંત્રના ૬૮ અક્ષરોમાંથી માત્ર એક અક્ષરને ઉચ્ચાર કરતાં સાત સાગરોપમનાં, નમો અરિતાળ વિગેરે નવ પદમાંથી કેઈપણ એકપદનો ઉચ્ચાર કરતાં પચ્ચાસ સાગરેપમનાં અને સંપૂર્ણ નવકારના જાપથી પાંચસે સાગરેપમનાં પાપકર્મ તત્કાળ નાશ પામી જાય છે. जे के वि गया मुक्खं, गच्छन्ति य केइ कम्ममलमुक्का। ते सव्वे वि जाणसु, जिणनवकारप्पहावेण ॥ १६ ॥ અર્થ—અતીતકાલમાં જેટલા મેક્ષમાં ગયા છે, વર્તમાન કાળમાં જે કંઈ મેક્ષમાં જઈ રહ્યા છે, ભવિષ્યકાળે જે જે મહાપુરુષો મેક્ષમાં પધારશે, તે સર્વ પ્રભાવ પંચમહાપરમેષ્ઠિનમસ્કારને જ છે. एसो अणाइकालो, अणाइजीवो अणाइजिणधम्मो । तइयावि ते पढंता एसुच्चिय जिणनमुक्कारो ॥ १७ ॥ અર્થ–પલ, ઘડી, પ્રહર, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ, પૂર્વ, પલ્યોપમ, સાગરેપમ, ઉત્સર્પિણી અવસર્પિણી, કાલચક, પુદગલપરાવર્ત વગેરે નામને પામેલે કાલ એક જ વસ્તુ છે, અને તે અનાદિ છે, અર્થાત્ તેને પ્રોક્સ જ નથી. એ જ પ્રમાણે આપણે આ જીવ અને જગતના સર્વ છે પણ અનાદિ છે, તથા શ્રીવીતરાગ પ્રભુ કથિત ધર્મ પણ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy