SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ સ્વીકારીને, જ્ઞાનમાં જેટલા વધાય તેટલા આગળ વધવું, તેજ સંજમી બનેલા મુનિરાજેનું કર્તવ્ય છે. પ્રવે–ત્યારે શું ગુરુઓ ગમે તેટલા હેરાન કરે તે પણ, શિષ્યએ ચલાવી જ લેવું, અને આખી જીંદગી ગુરુથી બીતા જ રહેવું એમ જ ને? ઉ૦–પરલેકના એકાન્ત આરાધક, સ્વપર-શાસ્ત્રના જાણ, આખા જગતનું ભલું કરવાની ભાવનાવાલા, ગુરુમહારાજ કેઈને હેરાન કરતા જ નથી, તે પછી શિષ્યને હેરાન કરે એ બને જ કેમ? પરંતુ આત્માર્થી શિષ્યએ, બારે માસ અને પ્રતિક્ષણ, ગુરુમહારાજથી ડરતા રહેવું, એટલું જ નહિ, પરંતુ સમગ્ર સમુદાયથી ડરતા રહેવું, અરે, આખી દુનિયાથી ડરતા રહેવું જોઇએ. એ જ મોટામાં મોટી મહાનુભાવના છે. આપણા અનંત ઉપકારી જ્ઞાનિપુએ ફરમાવ્યું છે કે, મરણ આદિ મહા ભયંકર, સાત ભયથી નહિ ડરનારા, વીતરાગના મુનિરાજેએ, પાપ અને કર્મોથી ચક્કસ ડરતા રહેવું જોઈએ. પ્ર–ગુરુથી ડરતા રહેવું, એ તે ડીવાર માટે ચલાવી લેવાય, પરંતુ સમુદાયના સાધુઓથી પણ ડરતા રહેવું, અને આખી દુનિયાથી ડરતા રહેવું. આ વળી ક્યાંને ન્યાય ? ઉ–ડરતા રહેવાનો અર્થ એ જ છે કે, ઝઘડા ન કરવા, અભિમાન ન કરવું, વિતંડાવાદ ન કરે, દુનિતા ન કરવી, ભલમનસાઈન ગુમાવવી, બસ, આવું વર્તન રાખવું, આ એકલા વિતરાગના સાધુનું જ નહિ, પરંતુ જગતમાં જે કંઈ સંતમહાત્મા હેય, તેમનું સર્વનું કર્તવ્ય છે. કેઈ અન્ય કવિ પણ કહે છે કે,
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy