SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ રહે છે, ગુણી મનુષ્યોના સમાગમ થવાથી, તેમની અનુમોદના કરવાને લાભ મળે છે. અને તેવા ગુણે પિતામાં લાવવાની ભાવના જાગે છે. સમુદાયમાં રહેવાથી, આગમ, પ્રકરણે, ચરિત્રો, ઈતિહાસ વિગેરે અનેકવિધ સાહિત્ય જાણવા મળે છે. અને તેથી શ્રીજિનેશ્વરદેવ તથા ગણધરભગવંતે વિગેરેનાં, જીવનચરિત્રે જાણ, પિતામાં તેને સુંદર પ્રકાશ પથરાય છે. સમુદાયમાં કઈને કેઈવિશેષગુણ આત્મા હેવાથી, તેમની સેવા વૈયાવચ્ચ કરવાને લાભ મળે છે. સમુદાયમાં રહેવાથી જ્ઞાનાદિ સંપત્તિ વધે છે. ક્રમે કરી પોતે પણ તેથી ગુરુ બને છે, અને વ્યતા વધતાં, ગણ, પંન્યાસ, ઉપાધ્યાય, આચાર્યાદિપટની પ્રાપ્તિ પણ થાય છે. સમુદાયમાં ગુરુકુલવાસે વસેલા સાધુ, શ્રીજૈનશાસનના માનવંતા માણસેમાં પણ પોતે માનવંતુ સ્થાન પામે છે. સમુદાયમાં રહી ગુરુકુળવાસ સેવનારો આત્મા, મહાવિદ્વાન પણ થાય છે. અને અનેક ગ્રંથ-પુસ્તક બનાવી શકે છે. ગુરુકુળવાસી સાધુ, ગુરુદેવને માનીત થવાથી, અનેક શિષ્યને ગુરુ પણ બની શકે છે. ગુરુની કૃપા પામેલ સાધુ, સમુદાયને માનીતે થાય છે. ગુરુકુળવાસ સેવનાર સાધુ, પિતાની સારી પ્રતિષ્ઠાના ગે, અનેક શાસનપ્રભાવનાનાં કામો કરાવી શકે છે. એટલે સંઘયાત્રા, પ્રતિષ્ઠા, અંજનશલાકા વિગેરે લાભ પ્રાપ્ત કરે છે. ગુરુસેવામાં રહેલા સાધુને ગુરુની આશી મળ્યા કરે છે, તેથી તેનું કશું કાર્ય સીદાતું નથી. ગુરુની મહેરબાની મેળવનાર સાધુ, બીજા અનેકના ઉપકારે કરી શકે છે. ગુરુકુળ સેવનાર સાધુને, એકલા રહેવાના દુર્ભાગી દિવસે આવતા નથી. ગુરુભક્ત શિષ્ય ઉપર, શ્રાવક-શ્રાવિકાઓની પણ, પરમ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy