SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮ જ્યારે બીજા નાનાભાઈને, એજ નગરમાં જતાં સારા સલાહકાર મલ્યા, તેમ આ જીવને પણ, મનુષ્યજન્મ મલ્યા પછી, સંસારને સ્વભાવ સમજેલા સદ્ગુરુદેવ મલી જાય, તે પૈસા, પગલ અને પત્નીના ભેગોની ભયંકરતા સમજાવીને, આત્માને કુગતિમાં પડેલે બચાવી લે છે. જેમ નાનાભાઈએ, સાચા સલાહકારની સલાહ મુજબ વર્તી, પિતાના પૂર્વજન્મના પુણ્યરૂપ દશહજારની મુડીને, વધારીને લાખની કરી, અને જવાના. વખતે અનેકનાં મનમાં દુઃખ થયું અને કેઈકની આંખમાં આંસુ આવ્યાં, તેમ જે આ આત્મા પણ સુગુરુઓના વચન અનુસાર વર્તે. અને કુછંદમાં ન પડે તે, જબૂસ્વામી, ધનાજી, શાલીભદ્ર વિગેરેની પેઠે, ધર્મ ધનને મજબૂત બનાવી, જતા આત્માને જાકારે” કહેનાર કોઈ ન મલે, પરંતુ આપણી જવાના વખતે સર્વ રેકનારા અને મારા બને. કહ્યું છે કે એસી કરણું મત કરે, જગ હસે તું રેય એસી કરણી કિજીયે, તું હસે જગ રેયા આ પ્રમાણે જેઓને સંસારની ભયંકરતા સમજાય છે. તેવા આત્માઓને, દેવ-મનુષ્યનાં સુખ દુઃખ જેવાં લાગે તેમાં જરાપણ આશ્ચર્ય છે જ નહિ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, “સુરનર સુખ પણ દુઃખ કરી લેખ, વાં છે શીવસુખ એક, ચતુરનર! સમકિત પામેલા અથવા પામવાની તૈયારીવાલા જીવને સંસારમાં કશું સુખ દેખાય જ નહિ, પણ જ્યાં દષ્ટિ ફેકે ત્યાં નરકાગાર કે કેદખાના જેવું દેખાય છે. પ્રવ–શું આ સંસારમાં એકલું દુઃખ જ ભરેલું છે? સુખ છે જ નહિ?
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy