SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ સંસારમાં રખડવા ચાલ્યો જાય છે. પુનઃ નરભવાદિ સામગ્રી પામે, અને વખતે પાંચમહાવ્રત પણ પામે, પરંતુ સમ્યગ્ગદર્શન, સમ્યગજ્ઞાન ન આવ્યાં હોય તે, વળી પાછે અનંતકાળ સંસારમાં ભટકતે થઈ જાય છે. આપણે પણ આવી મનુષ્યજન્મની ફેરીઓ અનંતી થઈ અને દ્રવ્યચારિત્ર પણ અનંતીવાર આપણે લીધાં. તે પણ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના અભાવે મોક્ષમાં પ્રવેશ નજ થયો અને પુનઃ નરક, તિર્યંચ અને નિગદાદિમાં ધકેલાવું પડયું છે. પ્ર–તો પછી સમ્યત્વસહિત પાંચમહાવતે આવે ક્યારે ? ઉ–આ જીવની ભવસ્થિતિ પરિપકવ થાય ત્યારે. એટલે કે અનંતાનંત ભાવપુલપરાવર્ત સ્વભાવવાલા આ સંસારમાં ભટકી રહેલા જીવને, જ્યારે મેક્ષમાં જવા અગાઉ, ચરમ એટલે છેલ્લે પગલપરાવત સંસાર બાકી રહે ત્યારે, જીવને સમ્યફત્વની પ્રાપ્તિ થવાનાં કારણે પ્રકટવાં શરૂ થાય છે. પ્ર–સમક્તિની પ્રાપ્તિ થવા અગાઉ પણ જીવમાં બીજી કઈ લાયકાતે આવી શકે ખરી? ઉ–જેમ સૂર્યઉદય થવાનો હોય તેની પહેલાં, અરુણેદય થાય છે, તેમ સમ્યકત્વ પ્રકટ થવાનું હોય તેની અગાઉ, બીજા ઘણા ગુણો પ્રકટ થાય છે.-જેમ રાજા-મહારાજાની પધરામણી થવાની હોય તેની પહેલાં, કેટલાક મોટા હોદ્દેદાર આગળથી આવીને, મહારાજાના માનને ઉચિત સામગ્રીઓની તૈયારી કરે છે તેમ, સમ્યકત્વગુણ પ્રકટ થવાને હોય તેની પહેલાં, કેટલાક ઉત્તમગુણો પ્રકટ થાય છે. સમ્યક્ત્વ આવતાની રસાથે, પ્રથમ આવેલા ગુણો સાવારણ ઝાંખા ભાસતા હોય તે,
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy