SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ હતા. તે જ અરસામાં બાદશાહ અકબરની ત્યાં દષ્ટિ ગઈ. આ દસ્ય જેઈ બાદશાહ ખુશ થઈ ગયે. અને શ્રી જૈનધર્મની ઘણી પ્રશંસા કરવા લાગ્યા. આ મહાપુરુષને પ્રાયઃ એંસી જેટલા શિષ્ય હતા. પિતે તથા પિતાને શિષ્યવર્ગ ખૂબ જ વિદ્વાન હતા, છતાં તેમણે કઈ પણ પ્રકારની પદવી લીધી ન હતી. એકવાર બાદશાહ અકબરે પૂછ્યું હતું કે, “આપને સૂરિ મહારાજે કયા બિરુદ દિયા હૈ વાચકવરે જવાબ આપ્યો. સૂરિમહારાજ પાસે, મારી કરતાં ઘણા વિદ્વાન અને વધુ લાયક એવા ઘણા શિષ્યો છે. જેમના નામની યાદિમાં મારું નામ ઘણા દુરના સ્થાન ઉપર આવે છે. બાદશાહ અકબર વાચકવરના આવા જવાબથી, તેમની નિરભિમાનપણાની ઘણી તારીફ કરવા લાગે. અને સૂરિમહારાજ ઉપર મુનિભાનુ ચંદ્રને વાચક પદ અર્પણ કરવા માટેનું નમ્રતાપૂર્વક ફરમાન લખી મોકલ્યું હતું.... ઉપાધ્યાયશ્રીમતસેમવિજયજી ગણિવર આ મહાપુરુષ વિરમગામ પરગણાના અધિકારી વીરજી મલિકના, પૌત્ર અને સહસમલ્લશેઠના પુત્ર હતા અને વાચકવર કીર્તિવિજયજી ઉપાધ્યાયના, સહદર વડીલ બંધુ હતા. તેમજ આચાર્યદેવવિજયહિરસૂરિજી મહારાજના પ્રધાન પુરુષ હતા. આખી જીદંગી ગુરુકુળવાસી હતા. આચાર્ય દેવની સંપૂર્ણ વૈયાવચ્ચ પિતે જ કરતા હતા. તેઓ વિદ્વાન પણ હતા. આખા ગચ્છ ઉપર તેમની મીઠી નજર હતી, સમુદાયની પણ તેમના ઉપર ઘણી ચાહ હતી ઉપાધ્યાય શ્રીમદ્ વિનયવિજયજી ગણિવર , આ મહાપુરુષ કીર્તિવિજયઉપાધ્યાયના શિષ્ય અને
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy