SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ રેલ્પ અથ–ભગવાન મહાવીરદેવ પોતે, જ્યારે સાક્ષાત વિચરતા હતા. ચોથા આરા જે ધર્મ યુગ ચાલતો હતે. ચારબુદ્ધિના નિધાન, અભયકુમાર જેવા, જેને મહામંત્રીશ્વર હાજર હતા. તથા પિતાને પણ ભગવાન મહાવીર પ્રભુ ઉપર અનન્ય રાગ હતે. આવા શ્રેણિક મહારાજ પણ જે જીવદયા ન પળાવી શક્યા. તે આ પાંચમા આરામાં ભયંકરકલિકાળમાં, ધર્મભક્ષક હજારેરાક્ષસી માણસને સખત જુલમમાં, જેમહાપુરુષના વચનામૃતનું પાનકરીને, કુમારપાળરાજા જે જીવદયાને પળાવી શક્યા છે, તે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સદા જયવંતા વર્તો. પ્રશ્ન—ઘણીવાર અને ઘણા લેકે પાસે, સાંભળવામાં આવે છે કે, હેમચંદ્રસૂરિમહારાજના ભવ, (શાસ્ત્રોમાં) આમલીના પાંદડાં જેટલા બતાવ્યા છે, તે શું આ વાત સાચી નથી? તમે તે ઉપર એકાવતારી [ત્રીજા ભવે મેક્ષ જવાના જણાવે છે તે શું બરાબર છે? ઉત્તર–ચારિત્રસુંદરગણિમહારાજનું બનાવેલ અને આત્માનંદસભામાં છપાયેલ કુમારપાળ મહાકાવ્યમાં, હેમચંદ્રસૂરિમહારાજ અને કુમારપાળરાજાના ભવવર્ણન અધિકારમાં, કુમારપાળરાજાએ, પિતાના અતીત, અનાગત ભના કરેલા પ્રશ્નોના જવાબમાં, મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામીમહારાજ પાસે, શ્રીમતી પદ્માવતી મહાદેવીને, મેકલીને મંગાવેલા, વર્ણન અનુસારે આપેલા જવાબમાં, પિતાના ભવોનું વર્ણન પણ છે અને તે ઉપર મુજબ જ છે. [જુઓઃ કુમારપાળ મહાકાવ્ય સર્ગ ૯ પૃષ્ઠ ૫૪ કલેક ૪૨-૪૩]
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy