SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ છતાં ગણધર પદવી તે ગણ્યાગાંઠ્યા મહાપુરુષને જ અપાય છે. જેમ નગરમાં કે દેશમાં, લાખો મનુષ્યોની કે ક્રેડે મનુ ની વસતિ હોવા છતાં, પ્રધાન થવાની યોગ્યતા કેઈક મનુધ્યમાં જ હોય છે. તેમ તે આત્માઓમાં આરાધક ગુણે ઘણા હોવા સાથે સજજનતા પણ ખૂબ જ હોય તે પણ, આચાર્ય પદવીની ગ્યતા એ એક જુદી જ વસ્તુ છે. રાજ્યપદવીની જેમ મોટી જોખમદારી છે. તેમ, તેના કરતાં હજારે ગુણ જોખમદારી આચાર્ય પદવી લેવામાં અને આપવામાં સમાયેલી છે. હવે પ્રભવસ્વામી મહારાજે સાધુસમુદાયને જ્ઞાનથી તપાસ્યા પછી, શ્રાવકસંઘમાં ઉપગ મુક્યો. શ્રાવકે તે તે વખતે કોડેની સંખ્યામાં હતા, ધર્મના ઘણું અભ્યાસી હતા, ભવભીરુ અને આરાધક પણ હતા, છતાં પ્રભવસ્વામી મહારાજને પિતાના પટ્ટધર થવાને ગ્ય કેઈપણ જણાયા નહિ. ત્યારે ઈતરદર્શનમાં ઉપયોગ મુક્યો. તે રાજગૃહ-નગરમાં વસતા શર્થભવભક સંપૂર્ણગ્ય જણાયા. શર્થભવ બ્રાહ્મણ હતા, ચૌદવિદ્યાના પારગામી હતા, જૈનદર્શનના સંપૂર્ણ પ્રતિપક્ષી હતા, છતાં તે પરમાર્થદશી જરૂર હતા. એ ગુરુમહારાજાએ મેકલેલા બે મુનિરાજેન, પરમાર્થપૂર્ણ વાક્ય સાંભળીને, તે વિચાર કરવા લાગ્યા. જ્યાં તે વાક્યને પરમાર્થ સમજાયું કે, તુર્ત જ સર્વસ્વનો ત્યાગ કરીને ગુરુ પાસે આવ્યા. ભગવાન પ્રભવસ્વામીજી તે જ્ઞાની જ હતા. તેમણે તે તેમની પહેલાં જ જ્ઞાનથી પરીક્ષા કરી લીધી હતી. એટલે તત્કાળ દિક્ષા આપી. શાસ્ત્રો ભણાવી, ચૌદપૂર્વધર બનાવ્યા, પછી આચાર્યપદવી અને યુગપ્રધાન પદ આપ્યું. પરિવારની ભલામણ આપી પિતે અનશન કરી ૧૬
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy