SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ સ્થાન એટલે મેક્ષ તેમાં અથવા જગતમાંનાં પૂજ્યસ્થાનમાં એટલે અરિહંતાદિપાંચસ્થાનો તેમાં રહેલા છે. તેમને પરમેષ્ઠી કહેવાય છે. શંકા-સાર્વ શબ્દનો અર્થ શું થાય ? સમાધાન-જગના પ્રાણી માત્રનું ભલું ઈચ્છનાર તે સાર્વ કહેવાય છે. “ જ્ઞ દિવા રૂતિ સાવ કેવલી શબ્દનો અર્થ ? કેવળજ્ઞાન-સંપૂર્ણજ્ઞાન, સર્વદ્રવ્યપર્યાયનું જ્ઞાન. જેમનામાં આવ્યું હોય, તે કેવલી ભગવાન કહેવાય છે. આ બધા ગુણે પ્રકટ થયા સિવાય શ્રીજિનેશ્વરદેવે ઉપદેશ આપતા જ નથી. આવા સર્વોત્તમ ગુણોથી વિભૂષિત મહાપુરુષને ભાવજિનેશ્વર કહેવાય છે. અર્થાત્ મેક્ષમાં જવાના છેલ્લા ભવમાં આત્માની સહજાનંદદશા પ્રકટ થતી હોવાથી આ મહાપુરુષને ભાવજિનેશ્વર કહેવાય છે. અથવા જિનેશ્વરદેવના સંસારના બધા ભો પૈકીના છેલ્લા ભવમાં જીવની બધી પગલિક દશાઓ વિરામ પામ્યા પછી આત્માનું મૂળ સ્વરુપ પ્રકટ થવાથી ભગવાન ભાવજિનેશ્વર બને છે. • આવા ભાવજિનેશ્વરદેવે વર્તમાનકાળે ૨૦ વિચરી રહ્યા છે, તે ક્યાં છે? તે જોઈએ. આ જંબુદ્વિીપ ૧ લાખ જનન અને ગોલાકાર છે. તેની મધ્યે પૂર્વ-પશ્ચિમ સમપ્રમાણ ૧ લાખ જન લાંબું અને ઉત્તર-દક્ષિણ એક લાખ જેજનના ૧૯૦ સરખા ભાગ કરીએ તેવા ૬૪ ભાગ જેટલું પહોળું–મહાવિદેહ નામનું ક્ષેત્ર છેતેના ૩૨ વિભાગો છે. જેના સિદ્ધાંતિક ભાષામાં તેને ૩ર વિજય કહેવાય છે.
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy