SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ અને પ્રભુજીને જમીન ઉપર પાડી નાખી ઉપર ચઢીને ખુબજ કચરી નાંખ્યા, તે પણ પ્રભુજીના ધ્યાનને અંત તે ન જ આવ્યો. ૧૧ વલી તે સુરાધમે વ્યાઘ્ર બનાવ્યા. અને તેમણે પોતાના તીક્ષ્ણ શસ્રોજેવા દાંત અને નખાવડે પ્રભુજીના શરીર ઉપર પુષ્કલ પ્રહાર અને ઉઝરડા કર્યાં, શરીરમાંથી અખડ લેહીધારાએ ચાલવા લાગી, તે પણ પ્રભુજીનું ચિત્ત ચલાયમાન થયું નહિ. ૧૨ હજી પણ તે દુષ્ટદેવ પ્રયાસથી ન થાયા, અને ભયંકર ; પીશાચાનાં રુપ બનાવી મેટીમોટી ગર્જનાઓ કરી પરંતુ પ્રભુજીને તેની અસર થઈ નહિ. ૧૩ પછી સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીનાં રુપ અનાવ્યા. તે ભગવાન પાસે આવી કરુણ વિલાપ કરવા લાગ્યા, અને કહેવા લાગ્યા, હે પુત્ર! તું જનની-જનકના ભકત છે, અને અમને વૃદ્ધોને છેડીને ચાલી નીકળ્યા, તે વ્યાજબી ન કહેવાય. હવે ઘેર ચાલ! અને અમારા અવસાન પછી દીક્ષા લેજે, આવાંઆવાં વાક્યે ખેલી અનેક આક્ર ંદા કર્યા, પરંતુ પ્રભુજી ધ્યાનદશાથી પડ્યા નહિ. ૧૪ પછી એક મેાટા જનસમુદાય મનાવ્યો. તેના મનુષ્ય પ્રભુજીના બે પગવચ્ચે અગ્નિ સળગાવી, ઉપર તપેલી મુકી રસાઈ પકાવવા લાગ્યા. એક પછી એક અનેક મનુષ્યએ આવી પ્રભુજીના પગ વચ્ચે રસેાઈ બનાવી પરંતુ પ્રભુજીના શરીર કે આત્મામાં ક'પારી આવી નહિ. ૧૫ વળી તેજ જનસમુદાયના માણસોએ પ્રભુજીના શરીર ઉપર લાંખી ચાંચવાલાં પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યા. પક્ષીએ એ પ્રભુજીને ચ'ચુ વિગેરેના પ્રહારો કરી ઉપસર્ગ કરવા ઘણી મહેનત કરી. પરંતુ પ્રભુજીના આત્માના એક અંશમાં પણ ક્ષે।ભ પ્રવેશ કરી શકયા નહિ.
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy