SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધે તરત જ પિતાની અસર કુમાર પર કરી, એટલે કુમારે તેની માતાને પગની લાત મારી કાઢી મૂકી. પાછી નરસુંદરી પતિને સમજાવવા આવી. તેણે કુમારને ઘણી પ્રાર્થના કરી તેને લઈને કુમારનું હૃદય જરા પ્રેમને લીધે પીગળ્યું, ત્યાં તો શૈલરાજે અંદરથી કુમારને જણાવ્યું કે ભલા માણસ ! તારું અપમાન કરનારી સ્ત્રીને તારે ફરીથી બોલાવાય કેમ? કુમાર પાછા અભિમાનથી ઘેરાયે, આવેશમાં આવીને એવા કઠેર શબ્દ નરસુંદરીને તેણે કહ્યા કે તેનાથી તે સહન ન થયા, જુના ઘરમાં ફાંસો ખાઈ નરસુંદરીએ આપઘાત કર્યો. નરસુંદરીની પાછળ તેની સાસુ વિમળમાલતી ગઈ અને જુવે છે તે નરસુંદરી ગળે ફાંસે ખાઈ મરી ગઈ હતી. આ દુઃખ કે દશ્ય જોઈ ન શકવાથી વિમલમાલતીએ પણ ત્યાંજ દેહને લટક્ત મૂકી આત્મઘાત કર્યો. વિમલમાલતીની શોધ કરવા એક કુંદનિકા નામની દાસી ત્યાં આવી અને એટલામાં રિપુદારણ પણ ત્યાં આવ્યું. માની તથા સ્ત્રીની આવી સ્થિતિ જોવા છતાં તેના હદયમાં જરા પણ પશ્ચાત્તાપ ન થા. - દાસીએ રૂદન કરતાં રાજાને ખબર આપી. રિપુદારણને ફજેતો થયે, લોકેએ તિરસ્કાર કર્યો, રાજાએ તેને રાજગઢમાંથી કાઢી મૂકો. ત્યાર પછી કેનાં અપમાન સહન કરતાં તેનાં કેટલાંક વર્ષો ગયાં. એક વખત નરવાહન રાજા બાહાર ફરવા નીકળ્યા હતા ત્યાં ઉદ્યાનમાં આચાર્ય મહારાજ તેમના જેવામાં
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy