SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ પ્રકરણ ત્રીજું. રિપુદારણ સિદ્ધાર્થનગરના નરવાહન રાજાની વિમલમાલતી રાણીની કુખમાં તે સંસારી જીવ પુત્રપણે અવતર્યો. રિપદારણ તેનું નામ આપવામાં આવ્યું. અનુક્રમે યુવાવસ્થા પામ્યા. ભવજંતુની આવી શાંત જીવનવાળી સ્થિતિ મહામહાદિના મનમાં ખુંચવા લાગી. તેમની બીજી સભા ચિત્તવિક્ષેપ મંડપમાં ફરી વાર મળી, અને અન્ય અન્ય વિચારોની આપ લે કરવા લાગ્યા. વિષયાભિલાષ મંત્રિએ મહામહની સભાને જાગ્રતા કરતાં જણાવ્યું કે મહાનુભાવો ! તમને ખબર હશે કે સંસારી જીવ-ભવજતુ હમણાં નરવાહન રાજાને ઘેર રિપુદારણ કુમારપણે આવેલો છે, તેની સાથે પદય પણ મદદમાં આવેલ છે. આ પદય એ જો કે કર્મ પરિણામ રાજાએ મેકલેલે છે, તે પણ તેને વિશ્વાસ આપણે કરવું ન જોઈએ, કેમકે કર્મ પરિણામ રાજા વખત જોઈને ચારિત્ર ધર્મને પણ મદદ કરે છે. હવે જે આ પુદય, ભવજતુને સદાગમ જે આપણે દુશ્મન છે તેને મેળાપ કરાવી આપે છે, આપણું જ્ઞાનાવરણ મિત્ર રાજાનો નાશજ થયે સમજ. અને તે બળવાન મિત્ર રાજાને નાશ થતાંજ ચિત્તવૃત્તિ અટવીમાં પ્રકાશ
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy