SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જાણે છે. તે તેને બતાવ્યા વિના ન રહે અને તેમ થાય તે આપણને થોડા જ વખતમાં તેની સાથે યુદ્ધમાં ઉતરવું પડે અને વિના કારણે આપણું માણસેને તેમાં નાશ થાય, માટે મને એક ઉપાય અગમચેતીને એ સમજાય છે કે આપણા રૌદ્રચિતનગરના દુષ્ટાભિસંધિ રાજાની નિકરૂણદેવી નામનની રાણી છે, તેણે એક હિંસા નામની પુત્રીને જન્મ આપે છે. તે હિંસાનાં જે આ નંદિવર્ધનની સાથે લગ્ન કરવામાં આવે તો આપણે સદાને માટે નિશ્ચિત થઈ શકીએ, કેમકે તે હિંસાનો જ્યારથી જન્મ થયે છે ત્યારથી આપણું કુટુંબમાં વૃદ્ધિ થવા લાગી છે. રાજા તથા રાણીને તેના જન્મ પછીથી ઘણું સુખ મળ્યું છે. તે કન્યા પોતાના નામ માત્રથી દરેક જીવોને ત્રાસ ઉત્પન્ન કરે છે. ભલ ભલા રાજા મહારાજાના મહાન પુન્યનો નાશ કરાવી તેણે નરકમાં મોકલી દીધા છે. કેમકે સંસારી જીવના પુન્યનો નાશ હિંસાથીજ વિશેષ થાય છે. કોઈ શીકારને બહાને, કેઈ જીવ્હાઈન્દ્રિયને માંસાદીથી સંતોષવા માટે તો કઈ રમત ગમતને ખાતર નિરપરાધી હજારો જીવોનો નાશ કરે છે. કેઈ પરસ્ત્રી હરણ કરવાના ન્હાના નીચે, તે કઈ પોતાનું અપમાન કરવાના બહાને, કઈ પોતાની જમીન દબાવી પાડવાના બહાને, તે કઈ પિતાની પ્રજાને હેરાન કરવાના બહાને, કેઈ જુનાં વેર લેવાના બહાને, તે કેાઈ પોતાના વ્યાપારના રક્ષણ કરવાના હાંના નીચે લડાઈ લડી તેમાં હજારો લાખો અને કરે છેને નાશ કરે છે. આ સર્વેમાં આપણે પુત્રી
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy